Religion: 12 ઓગસ્ટે સૂર્યગ્રહણ અને હરિયાળી અમાસ, જાણો સમય, સૂતક કાળ અને ધાર્મિક મહત્વ

સૂર્યગ્રહણ હંમેશાં અમાસના (અમાવસ્યાના) દિવસે જ થાય છે, કારણ કે આ દિવસે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. વૈદિક પંચાંગ મુજબ, આગામી ૧૨ ઓગસ્ટના રોજ હરિયાળી અમાસ છે અને આ જ દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે.
સામાન્ય રીતે ગ્રહણનો સૂતક કાળ ૧૨ કલાક પહેલાં શરૂ થઈ જાય છે. સૂતક કાળ દરમિયાન પૂજા-અર્ચના કરવી તેમજ ભોજન લેવું વર્જિત ગણાય છે. આ સમયગાળામાં ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવાની પણ મનાઈ હોય છે.
સૂતક કાળમાં મંદિરના દરવાજા બંધ રહે છે
સૂતક કાળ દરમિયાન તમામ મંદિરોના કપાટ (દરવાજા) બંધ રાખવામાં આવે છે, જેથી ગ્રહણની નકારાત્મક અસરોથી દેવતાઓની ઊર્જા અને પવિત્રતા જળવાઈ રહે. સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને ઘર અને પૂજાસ્થળની સાફ-સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ ઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિ કરવી હિતાવહ છે. ગ્રહણ બાદ યથાશક્તિ દાન-પુણ્ય કરવું, ગરીબોને અન્ન તથા દ્રવ્યનું દાન આપવું અને ઈશ્વરનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે.
વર્ષ 2026ના સૂર્યગ્રહણનો સમય
ભારતીય માનક સમય (IST) અનુસાર, આ સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટના રોજ રાત્રે ૯:૦૪ વાગ્યે શરૂ થશે અને ૧૩ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૪:૨૫ વાગ્યે પૂર્ણ થશે.
ખાસ નોંધ: આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે થતું હોવાથી ભારતમાં અદ્રશ્ય (દેખાશે નહીં) રહેશે. આથી ભારતમાં આ ગ્રહણનો સૂતક કાળ કે તેના ધાર્મિક નિયમો માન્ય રહેશે નહીં.

