VIDEO: અરવિંદ કેજરીવાલ ૪ ઓગસ્ટે મોદી નિવાસે કૂચ કરશે
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે તેઓ ૪ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગના નિવાસસ્થાને કૂચ કરશે. અરજીઓ એકત્રિત કરીને લગભગ ૧૦૦ લોકોની કૂચનું નેતૃત્વ કરશે. તેમણે કેન્દ્રની E20 નીતિમાં ફેરફારની માંગ કરતી નાગરિક અરજી રજૂ કરવાની જાહેરાત કરી. મુખ્ય માંગણીઓમાં પેટ્રોલ પંપ પર નિયમિત પેટ્રોલ અને E20 વચ્ચે પસંદગીનો વિકલ્પ, પેટ્રોલના ભાવ ૮૪ રૂપિયાથી ઘટાડવા અને ઇથેનોલના ભાવમાં ઘટાડો સામેલ છે.

