Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make thick and creamy coconut pudding at home

Recipe : ઘરે બનાવો ઘટ્ટ અને ક્રીમી નાળિયેરની ખીર, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : ઘરે બનાવો ઘટ્ટ અને ક્રીમી નાળિયેરની ખીર, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
સોર્સ : gstv

નારિયેળને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીને નારિયેળની ખીર ચઢાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ અર્પણ કરવાથી માતા મહાગૌરી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને ધન, ભરણપોષણ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે.

App Store

સામગ્રી

  • છીણેલા તાજા નાળિયેર
  • એક લિટર દૂધ
  • અડધો કપ ખાંડ
  • એલચી પાવડર
  • બારીક સમારેલી બદામ એક ચમચી
  • ઝીણા સમારેલા કાજુ, પિસ્તા
  • એક ચપટી કેસર

બનાવવાની રીત

  • દૂધને એક તપેલીમાં નાખીને ઉકાળો. જ્યાં સુધી દૂધ ઘાટુ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. જ્યારે દૂધ એકદમ ઘાટુ થઈ જાય એટલે તેમાં છીણાલું નાળિયેર નાખો. ત્યારબાદ દૂધને ઉકળવા દો.
  • હવે તેમાં ખાંડ, એલચી પાવડર, કેસર, બદામ, કાજુ અને પિસ્તા નાખો. દૂધને 5થી 7 મિનિટ સુધી ગેસ પર ધીમી આંચે રહેવા દો અને દૂધને થોડી થોડીવારે હલાવતા રહો.
  • તો તૈયાર છે નળિયેરની ખીર. તમે તને ઇચ્છા મુજબ ઠંડી અથવા ગરમ પીરસી શકો છો.