Health News : આકાશી આફત વચ્ચે હીટવેવનું એલર્ટ: કયા 4 લોકો પર લૂ લાગવાનું જોખમ સૌથી વધુ છે?

હાલ સમગ્ર ભારત જાણે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે. દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે, તો ગુજરાતમાં પણ પારો 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વધતા જતા તાપમાન અને આકરા ઉનાળાને જોતાં હવે હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અને કામ વગર બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ હીટવેવથી પોતાને અને પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખવા તે વિશે જાણો...
ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હીટસ્ટ્રોકના સંકેતો છે. નિષ્ણાતો કહે છે કે જો કોઈ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય અને ગરમ પવન ફૂંકાઈ રહ્યો હોય, તો તેને હીટસ્ટ્રોક કહેવામાં આવે છે.
નિષ્ણાતોના મતે, 1થી 5 વર્ષની વયના બાળકોને ઘરની અંદર રાખવા જોઈએ કારણ કે તેનું શરીર સામાન્ય બાળકો કરતાં વધુ સક્રિય હોય છે. આનાથી પરસેવો થાય છે અને ઝડપથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.
હીટસ્ટ્રોકથી બચવા માટે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ ઘરની અંદર રહેવું જોઈએ. બહાર જવાની ભલામણ ફક્ત કટોકટીના કિસ્સામાં જ કરવામાં આવે છે. બેગમાં એવી વસ્તુઓ રાખવી જરૂરી હોય છે જે હાઇડ્રેશનનું સ્તર જાળવી રાખે. બેગમાં પાણીની બોટલ અને હાઇડ્રેટેડ ખોરાક રાખવો જોઈએ.
નિષ્ણાતોના મતે, ક્રોનિક બીમારીઓ (લાંબા ગાળાની સ્થિતિ) જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા ધરાવતા લોકોએ પણ આવા ગરમ હવામાન દરમિયાન ઘરની અંદર રહેવું જોઈએ. બહાર કામ કરતા કામદારોએ પાણી, ટુવાલ અને સૂર્યથી રક્ષણ સાથે રાખવું જોઈએ.
નિષ્ણાતો કહે છે કે ભલે તમે દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીતા હોવ, છતાં પણ હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. હાઇડ્રેટેડ રહેવા માટે તરબૂચ જેવા મોસમી ફળો ખાવા મહત્વપૂર્ણ છે.

