Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : What is that in Sonia Gandhi's book? Penguin refused to print in India, demanded removal of this part

VIDEO: સોનિયા ગાંધીના પુસ્તકમાં એવું શું છે? પેંગ્વિને ભારતમાં છાપવાનો કર્યો ઇનકાર, આ ભાગ હટાવવાની કરી હતી માંગ

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Sonia Gandhi Book: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની બહુપ્રતીક્ષિત પુસ્તક ‘Belonging: A Journey of Love’ને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, Penguin Random House Indiaએ ભારતમાં આ પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પુસ્તકની પાંડુલિપિ (Manuscript)ના એક ખાસ હિસ્સામાં સંપાદકીય ફેરફારો (Editorial Changes) કરવા તેમજ કેટલાક અંશો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સોનિયા ગાંધીએ કોઈપણ પ્રકારની કાપછાંટ અથવા ફેરફાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું કહેવાય છે.

App Store

અન્ય પ્રકાશકોની પુસ્તકમાં રસ

પેંગ્વિનના નિર્ણય બાદ હવે અન્ય મોટા પ્રકાશકો પણ પુસ્તકની ભારતીય આવૃત્તિ (Indian Edition)ના પ્રકાશન અધિકારો મેળવવા માટે રસ દાખવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HarperCollins India આ પુસ્તકના પ્રકાશન માટે કરાર (Publishing Deal)ને અંતિમ સ્વરૂપ આપવાની નજીક હોવાનું કહેવાય છે.

ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં આ પુસ્તક 10 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થવાનું છે. પુસ્તકની જાહેરાત સૌપ્રથમ અમેરિકન પ્રકાશક Alfred A. Knopf દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં પુસ્તકની લગભગ એક લાખ નકલો (Copies) છાપવાની યોજના હોવાનું જણાવાયું હતું.

પુસ્તકમાં સોનિયા ગાંધીના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ

સોનિયા ગાંધીના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, આ પુસ્તક તેમના જીવનનું સૌથી અંગત (Personal) અને પ્રમાણિક વર્ણન છે. પુસ્તકમાં 1965માં કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે થયેલી મુલાકાત, ત્યારબાદ નેહરુ-ગાંધી પરિવાર સાથે જોડાવાની સફર અને તેમના અંગત જીવન વિશે વાત કરવામાં આવી છે.

આ ઉપરાંત સંજય ગાંધીના અવસાન તેમજ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા બાદના વ્યક્તિગત દુઃખ અને સંઘર્ષનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2004માં કોંગ્રેસને સત્તા મળ્યા બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કેમ કર્યો હતો, તેના કારણો અંગે પણ પુસ્તકમાં ચર્ચા હોવાનું કહેવાય છે.

સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, તેમના પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ પરિવારની લાગણીઓ, નિર્ણયો અને માનવીય નબળાઈઓ (Human Frailties)ને સમજવાનો પ્રયાસ બહુ ઓછા લેખકોએ કર્યો છે. તેમની આ કથા છેલ્લા છ દાયકાના સામાજિક અને રાજકીય પરિવર્તનોનો પણ એક અલગ દૃષ્ટિકોણ આપે છે.

પેંગ્વિન અગાઉ પણ વિવાદમાં રહ્યું છે

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા અગાઉ પણ પુસ્તકોને લઈને ચર્ચામાં રહ્યું છે. આ વર્ષે પૂર્વ થલસેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેની ‘Four Stars of Destiny’ને લઈને પણ વિવાદ થયો હતો.

આ ઉપરાંત જૂનમાં જાણીતા ગ્રાફિક નવલકથાકાર જો સૈકોની મુઝફ્ફરનગર રમખાણો પર આધારિત ‘The Once and Future Riot’નું પ્રકાશન પણ રદ કરવામાં આવ્યું હતું. તે સમયે કાનૂની તપાસ (Legal Review) અને નકશાની સરહદોને લગતા મુદ્દાઓનો હવાલો આપવામાં આવ્યો હતો.

હાલ સોનિયા ગાંધીની પુસ્તકમાંથી કયા ચોક્કસ અંશો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તેથી આ અંગેની ચોક્કસ માહિતી માટે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવી પડશે.