Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Was the Ahmedabad plane crash deliberate? Foreign media claims cause a stir, investigation agency gives big statement

Ahmedabad Plane Crash: શું અમદાવાદ પ્લેન ક્રેશ જાણી જોઈને કરાયું હતું? વિદેશી મીડિયાના દાવાથી ચકચાર, તપાસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad Plane Crash: શું અમદાવાદ પ્લેન ક્રેશ જાણી જોઈને કરાયું હતું? વિદેશી મીડિયાના દાવાથી ચકચાર, તપાસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન
સોર્સ : GSTV

Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાં જ ક્રેશ થઈ ગઈ હતી. અત્યારે AI 171ના વિમાન દુર્ઘટની તપાસને લઈને અનેક અટકળો ચાલી રહી છે તેવામાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો(AAIB)એ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. જેમાં મીડિયામાં આવેલા કેટલા રિપોર્ટ્સ વેરીફાઈડ નથી તેમજ અનુમાન પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

App Store

'અંતિમ તપાસ રિપોર્ટની રાહ જુઓ'
AAIBએ કહ્યું છે કે આ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે તે પૂર્ણ થઈ નથી. આ સમયે કોઈ પણ વ્યક્તિ કે કારણને ગુનેગાર ગણી લેવું તે યોગ્ય નથી. મીડિયા અને લોકોને અપીલ કરતાં કહ્યું કે તે સત્તાવાર નિવેદન અને અંતિમ તપાસ રિપોર્ટની રાહ જુએ.

'કોમ્પ્લેકસ અને ટેકનિકલ પ્રક્રિયા'
વધુમાં ઉમેર્યું કે, વિમાન દુર્ઘટનાની તપાસ એક કોમ્પ્લેકસ અને ટેકનિકલ પ્રક્રિયાથી થયા છે, જેમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર, કોકપિટ વોઈસ રેકોર્ડરની સમીક્ષા, ટેકનિકલ વિશ્લેષણ, હવામાનની સ્થિતિ સહિત અન્ય ઘણા મુદ્દા પર ગહન રીતે અધ્યયન થાય છે. જેથી તપાસ પૂરી થયા પહેલા ઉતાવળે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકાય નહીં.

વધારેમાં AAIBએ ફરી જણાવ્યું કે તપાસ સંપૂર્ણ રીતે તે પારદર્શક અને પ્રોફેશનલ રીતે કરવામાં આવી રહી છે. AI 171 દુર્ઘટનાની તપાસમાં સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. સંબંધિત તથ્યોનું અધ્યયન કરીને સત્તાવાર નિર્ણય લેવાશે ત્યારે શેર કરવામાં આવશે. 

ઈટાલીના અખબાર કરાયો હતો દાવો
જણાવી દઈએ ઈટાલીના અખબારમાં Corriera Della Seraના એક રિપોર્ટના હવાલામાં દાવો કરવામાં આવ્યો છે અમદાવાદમાં જે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે કોઈ ટેકનિકલ ખામીને કારણે નહીં પણ 'જાણી જોઈને કરવામાં આવેલી હરકત'નું પરિણામ હતું.