Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'My wife applies kajal-lipstick at two o'clock in the night', what did the HC

'મારી પત્ની રાતે બે વાગ્યે કાજળ-લિપસ્ટિક લગાવે છે', પતિની છૂટાછેડા માંગતા શું કહ્યું હાઈકોર્ટે?

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
'મારી પત્ની રાતે બે વાગ્યે કાજળ-લિપસ્ટિક લગાવે છે', પતિની છૂટાછેડા માંગતા શું કહ્યું હાઈકોર્ટે?
સોર્સ : gstv

ઝારખંડ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સ્ત્રી રાત્રે ૨ વાગ્યે કાજળ કે લિપસ્ટિક (Makeup/Lipstick) લગાવે, તો તેને માનસિક બીમારી (Mental Illness) નું પ્રમાણ ગણી શકાય નહીં. અદાલતે નોંધ્યું હતું કે લગ્ન પછી નવવધૂનું કોઈપણ સમયે સાજ-શણગાર કરવું એ એક સામાન્ય માનવ વર્તન (Normal Behavior) છે.

App Store

જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ સંજય પ્રસાદની ખંડપીઠે (Bench) ગિરિડીહ ફેમિલી કોર્ટ (Family Court) ના એ નિર્ણયને બહાલ રાખ્યો હતો, જેમાં પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડા (Divorce) ની અરજી ફગાવી દેવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

પતિએ અદાલતમાં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૧૫ માં થયેલાં લગ્ન બાદ તેને ખબર પડી કે તેની પત્ની માનસિક રીતે અસ્વસ્થ છે. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે એક રાત્રે આશરે ૨ વાગ્યે તેણે પત્નીને કબાટ સામે ઊભા રહીને કાજળ અને લિપસ્ટિક લગાવતાં જોઈ હતી, જેનાથી તેને તેની માનસિક સ્થિતિ પર શંકા ગઈ હતી. પતિનો આક્ષેપ હતો કે લગ્ન પહેલાં પત્નીના પરિવારે આ બાબત છુપાવી હતી, માટે તેને છૂટાછેડા મળવા જોઈએ.

મેડિકલ પુરાવાના અભાવે હાઈકોર્ટની ફિટકાર

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે પતિએ પત્નીની સારવાર કરાવી હોવાના દાવા તો કર્યા, પરંતુ તે અદાલતમાં એક પણ મનોચિકિત્સક (Psychiatrist), મેડિકલ રિપોર્ટ (Medical Report) કે તબીબી નિષ્ણાતની સાક્ષી રજૂ કરી શક્યો નથી. માત્ર શંકાના આધારે કોઈને માનસિક દર્દી ગણાવી શકાય નહીં.

અદાલતે એ પણ ઉમેર્યું કે આ એક ગોઠવાયેલાં લગ્ન (Arranged Marriage) હતાં અને લગ્ન પહેલાં બંને પરિવારોની હાજરીમાં મુલાકાત પણ થઈ હતી. જો પત્નીના વર્તનમાં કોઈ અસામાન્યતા હોત, તો તે લગ્ન પહેલાં જ સામે આવી ગઈ હોત.

દહેજ અને શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ

રેકોર્ડ મુજબ, બંને આશરે અઢી વર્ષ સાથે રહ્યા હતા. ૧૦ જુલાઈ ૨૦૧૭ ના રોજ પતિ પત્નીને તેના પિયર મૂકી આવ્યો અને બીજા જ દિવસે છૂટાછેડા માટે અરજી કરી દીધી.

પત્નીએ કોર્ટને જણાવ્યું કે દહેજ (Dowry) ની માંગણી પૂરી ન થતાં તેને માનસિક દર્દી કહીને બદનામ કરવામાં આવી હતી. પિતાએ બેંક ટ્રાન્સફર (RTGS) દ્વારા ૧ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વધુ ૨ લાખ રૂપિયાની માંગણી સાથે તેની સાથે શારીરિક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યો હતો.

કોર્ટનો આખરી ચુકાદો

મધ્યસ્થી (Mediation) ની પ્રક્રિયા દરમિયાન પત્ની વારંવાર પતિ સાથે રહેવા તૈયાર હતી, પરંતુ પતિ તેને રાખવા તૈયાર નહોતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માનસિક બીમારીને છૂટાછેડાનો આધાર ત્યારે જ બનાવી શકાય જ્યારે તે તબીબી પુરાવાઓથી સાબિત થાય. આ કેસમાં પતિ ન તો માનસિક બીમારી સાબિત કરી શક્યો કે ન તો પત્ની દ્વારા છોડી દેવાનો (Desertion) આરોપ સાબિત કરી શક્યો. તેથી, અદાલતે પતિની અપીલ ફગાવી દીધી હતી.