Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Impact of Pahalgam terror attack: 23% domestic tourists and 44% decline in foreign tourists in Jammu and Kashmir in 2025

પહેલગામ આતંકી હુમલાની અસર: 2025માં જમ્મુ-કાશ્મીરમાં દેશી પ્રવાસીઓ 23% અને વિદેશી પ્રવાસીઓ 44% ઘટ્યા

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
પહેલગામ આતંકી હુમલાની અસર: 2025માં જમ્મુ-કાશ્મીરમાં દેશી પ્રવાસીઓ 23% અને વિદેશી પ્રવાસીઓ 44% ઘટ્યા
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીર પોતાની મનમોહક ખીણો અને સુંદરતા માટે વિશ્વભરમાં ખાસ ઓળખ ધરાવે છે. આ જ સુંદરતા પ્રવાસીઓને અહીં આવવા માટે પ્રેરિત કરે છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓથી પણ પીડિત રહ્યો છે. જોકે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો, અને પ્રવાસીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી હતી, પરંતુ ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલાના કારણે સ્થિતિ બગડી ગઈ, અને પ્રવાસીઓ ફરી એકવાર અહીં આવવાનું ટાળવા લાગ્યા.

App Store

લોકસભામાં સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે 2025માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2022ની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તો વર્ષ 2024ની સરખામણીમાં 2025માં અહીં આવતા દેશી પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો છે, અને 44 ટકાથી વધુ વિદેશી પ્રવાસીઓ ઓછા થયા છે.

2022માં 63%થી વધુ વધ્યા દેશી પ્રવાસીઓ

છેલ્લા એક દાયકામાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો અને પરિસ્થિતિ બદલાવાને કારણે ધીમે ધીમે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી, પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ પ્રવાસીઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હતુ. તેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં જે વધારો જોવા મળી રહ્યો હતો તે ઘટી ગયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2021માં ખીણની મુલાકાતે આવેલા દેશના પ્રવાસીઓની સંખ્યા 1.13 કરોડથી વધુ હતી, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 2 હજાર જ હતી. ત્યારબાદ 2022માં આ સંખ્યામાં વધારો થયો. દેશના પ્રવાસીઓની સંખ્યામાં 63.49 ટકાનો વધારો થયો અને 1.84 કરોડથી વધુ દેશી પ્રવાસીઓ આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે ગયા. વિદેશી પ્રવાસીઓની સંખ્યા 20 હજાર સુધી પહોંચી ગઈ હતી.

2023માં 175 ટકા વધ્યા વિદેશી પ્રવાસીઓ

પ્રવાસીઓની દ્રષ્ટિએ 2023 જમ્મુ-કાશ્મીર માટે ખૂબ જ શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું, કારણ કે, પહેલીવાર વર્ષ દરમિયાન 2 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં પહોંચ્યા. અગાઉની સરખામણીમાં લગભગ 12 ટકાના વધારા સાથે 2.06 કરોડથી વધુ દેશી પ્રવાસીઓ પહોંચ્યા, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા 50 હજારને વટાવીને 55 હજારથી વધુ થઈ ગઈ. વિદેશી પ્રવાસીઓની બાબતમાં આમાં 175 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2024માં દેશી અને વિદેશી બંને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. 11.29 ટકાના વધારા સાથે 2.30 કરોડથી વધુ દેશી પ્રવાસીઓ અહીં આવ્યા, જ્યારે 18.18 ટકાના વધારા સાથે 65 હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ અહીંની સુંદરતા માણી.

2025માં આતંકવાદી હુમલાથી અટકી રફ્તાર

જોકે પ્રવાસીઓની વધતી સંખ્યા 2025માં આવીને અટકી ગઈ, અને તેની પાછળનું સૌથી મોટું કારણ પહેલગામ આતંકવાદી હુમલો રહ્યો, કારણ કે આ ભયાનક હુમલા પછી દેશી પ્રવાસીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ તેનાથી અંતર જાળવવા લાગ્યા. આ કારણે દેશી પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો, અને તે 2.30 કરોડથી ઘટીને 1.77 કરોડ થઈ ગઈ. જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો. 44.62 ટકાથી વધુનો ઘટાડો થયો અને 65 હજારથી ઘટીને આ સંખ્યા 36 હજાર પર આવી ગઈ.

કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનમાંથી મળતી રોજગારી અંગે પૂછાયેલા પ્રશ્ન પર કેન્દ્ર સરકારે જણાવ્યું કે, પ્રવાસન મંત્રાલય હેઠળ આવતા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનના પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના ડેટાના આધારે, વર્ષ 2021-22માં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન સાથે જોડાયેલી કુલ રોજગારી 10.42 લાખ હતી, જે 2025માં વધીને 10.78 લાખ થઈ ગઈ.