Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Did Ethanol Increase Sugar Prices?' Know the reasons given by the government

'શું ઇથેનોલના કારણે ખાંડના ભાવ વધ્યા?' જાણો સરકારે શું કારણો આપ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
'શું ઇથેનોલના કારણે ખાંડના ભાવ વધ્યા?' જાણો સરકારે શું કારણો આપ્યા
સોર્સ : gstv

કેન્દ્ર  સરકારનું કહેવું છે કે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડના ભાવમાં વધારો થયો નથી. સરકારના જણાવ્યા અનુસાર શેરડીના પાકને હવામાનની અસર, તહેવારોની સિઝનમાં વધેલી માંગ અને દેશમાં અપેક્ષા કરતાં ઓછું ખાંડનું ઉત્પાદન તેના ભાવ વધવાના મુખ્ય કારણો છે.

App Store

ઇથેનોલ ખાંડના ભાવ વધારા માટે જવાબદાર નથી 

ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલને જવાબદાર ગણી શકાય નહીં. ઇથેનોલ માટે ખાંડનો ઉપયોગ 2022-23માં લગભગ 12 ટકા હતો, જે ઘટીને 2025-26માં 9 ટકા થયો છે. ઉપરાંત, દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો લગભગ ત્રણ ચોથાઈ હિસ્સો હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી બનાવવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આ કારણો ગણાવ્યા

મંત્રાલય અનુસાર ખાંડના ભાવમાં વધારા પાછળ અનેક કારણો છે. તેમાં અપેક્ષા કરતાં ઓછું સ્થાનિક ઉત્પાદન, તહેવારોની સિઝનમાં વધેલી માંગ અને હવામાનને કારણે શેરડીના પાકને થયેલું નુકસાન મુખ્ય છે.

આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ખાંડના પુરવઠામાં ઘટાડો તથા ઉદ્યોગના કેટલાક વર્ગો દ્વારા સટ્ટાબાજી અને સંગ્રહખોરીને પણ ભાવ વધારા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

વિશ્વભરમાં વધી રહ્યા છે ખાંડના ભાવ

સરકારના જણાવ્યા અનુસાર ચાલુ ખાંડ સીઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન લગભગ 306 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે, જ્યારે અગાઉ 343 લાખ મેટ્રિક ટનનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

જોકે, સરકારનો દાવો છે કે ઉત્પાદન ઓછું રહેવા છતાં દેશમાં સ્થાનિક માંગ પૂરી કરવા માટે પૂરતી ખાંડ ઉપલબ્ધ છે અને ઓક્ટોબરમાં નવી પિલાણ સિઝન શરૂ થાય ત્યાં સુધી પૂરતો જથ્થો રહેશે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે પણ ખાંડના ભાવ વધી રહ્યા છે અને આ સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. વિશ્વભરમાં લગભગ 33 લાખ મેટ્રિક ટન ખાંડની અછતનો અંદાજ છે.

ઇથેનોલથી ખાંડ મિલોને ફાયદો થયો: સરકાર

ઉપભોક્તા મંત્રાલયનું કહેવું છે કે ઇથેનોલ કાર્યક્રમથી ખેડૂતોને લાભ થયો છે અને ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ મજબૂત બની છે.

ભારતમાં સામાન્ય રીતે 320થી 340 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્થાનિક વપરાશ લગભગ 280થી 290 લાખ મેટ્રિક ટન છે. વધુ ઉત્પાદનવાળા વર્ષોમાં વધારાનો ખાંડનો જથ્થો મિલોની મૂડીને અટકાવી દે છે અને શેરડીના ખેડૂતોને ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે.

સરકારના જણાવ્યા અનુસાર વધારાની ખાંડને ઇથેનોલના ઉત્પાદન તરફ વાળવાથી આ સમસ્યા ઘટાડવામાં મદદ મળી છે અને ખાંડ મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે.

કોંગ્રેસે E-20 નીતિ પર સવાલ ઉઠાવ્યા

બીજી તરફ કોંગ્રેસે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણની E-20 નીતિ સામે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. કોંગ્રેસે સરકારને આ નીતિની તાત્કાલિક સમીક્ષા કરવાની અને લોકોને ઇથેનોલ વગરનું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

કોંગ્રેસનો આરોપ છે કે સરકારની ઇથેનોલ નીતિના કારણે સામાન્ય લોકોને મોંઘા ખોરાક અને મોંઘી મુસાફરી બંનેનો બોજ સહન કરવો પડી રહ્યો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ઇથેનોલના ઉત્પાદનમાં શેરડી અને અનાજના ઉપયોગને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર અસર પડી છે.