VIDEO: નેપાળ પૂરમાં 288 ભારતીય નાગરિકો સાથેનો સંપર્ક તૂટ્યો, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સક્રિય: વિદેશ મંત્રાલય
નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિ અને ભીષણ પૂરની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે ભારતીય નાગરિકો અંગે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાને નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરીને દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ભારત તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
288 ભારતીય નાગરિકો અસંપર્કિત
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા આશરે 288 ભારતીય નાગરિકો સાથે હાલ સંપર્ક થઈ શક્યો નથી. આ ગુમ નાગરિકો પૈકી 73 ભારતીયો ત્રિશુલી વન પાવર પ્રોજેક્ટ પર કાર્યરત હતા. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ પ્રોજેક્ટ હેડ અને સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે, જેથી આ કર્મચારીઓ અને નાગરિકો અંગે વહેલી તકે સચોટ વિગતો મેળવી શકાય. ભારત સરકાર નેપાળની જનતા સાથે પૂર્ણ એકતા સાથે ઊભી છે અને તમામ ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંકલન સાધી રહી છે.

