Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Surendranagar news: સબજેલમાં ખેલાયો ખૂની ખેલ: ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને સ્ટાફની અછત વચ્ચે હિંસક અથડામણ

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સબજેલમાં ખેલાયો ખૂની ખેલ: ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને સ્ટાફની અછત વચ્ચે હિંસક અથડામણ
સોર્સ : GSTV

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલમાં સજા કાપી રહેલા કેદીઓના બે જૂથો વચ્ચે થયેલી હિંસક માથાકૂટમાં ચાર કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસનની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

App Store

જાણો આખો મામલો
 સૂત્રો અને જેલર ફિરોઝખાન પઠાણના જણાવ્યા અનુસાર, સમગ્ર વિવાદની શરૂઆત પ્રથમ પારઘી નામના કેદીથી થઈ હતી. તેણે હોસ્પિટલ જવા માટે પોલીસ જાપતાની માંગ કરી હતી, જે પૂરી ન થતા તેણે પોતે જ તીક્ષ્ણ હથિયાર વડે પોતાના શરીર પર ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ જેલની બેરેકમાં અફરાતફરી મચી ગઈ હતી અને બે જૂથો આમને-સામને આવી ગયા હતા.

ખૂંખાર કેદીઓનો આતંક
આરોપ છે કે જેલના ખૂંખાર કેદી યાકુબખાન પઠાણ અને તેની ટોળકીએ અચાનક અન્ય કેદીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બ્રિજેશ દેવેન્દ્રભાઈ, અમર નથુભાઈ અને અજયભાઈ મહેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેલમાં કેદીઓ પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા તે તપાસનો વિષય બન્યો છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓ - મૂળ સમસ્યા
સુરેન્દ્રનગર સબજેલની ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, જેની સામે હાલ 290થી વધુ કેદીઓ ત્યાં રખાયા છે. ક્ષમતા કરતાં બમણાથી વધુ કેદીઓ હોવાને કારણે અને પૂરતો પોલીસ સ્ટાફ ન હોવાથી જેલ પ્રશાસન માટે સ્થિતિ નિયંત્રિત કરવી કઠિન બની રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ખૂંખાર કેદીઓની જેલ બદલી (Transfer) કરવામાં આવતી નથી, જે આ પ્રકારની ઘટનાઓનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

પોલીસ છાવણીમાં સિવિલ હોસ્પિટલ
ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં પણ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેલર દ્વારા ફરી એકવાર ઉચ્ચ સ્તરે રિપોર્ટ સોંપીને માથાભારે કેદીઓને અન્ય જેલમાં ખસેડવાની માંગ દોહરાવવામાં આવી છે.