Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Accident between car and bike on Wadali-Khedbrahma highway, 1 woman killed, 3 injured

VIDEO: Sabarkantha Accident, વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. રવિવારે ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં વડાલીના ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં પરિવારનાં અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

App Store

પરિવારનો માળો વિખેરાયો
મળતી વિગતો અનુસાર, એક પરિવાર મોટરસાયકલ પર સવાર થઈને ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વડાલી ભગીરથ શાકમાર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ પત્નીનું મોત થતા પતિ અને બાળકો સ્તબ્ધ થઈ ગયા હતા. અકસ્માતમાં પતિ સહિત બે નિર્દોષ બાળકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.

સ્થાનિકોની મદદ અને હોસ્પિટલની કામગીરી
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર જણાતા પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસ અને ટ્રાફિક જામ
અકસ્માત અંગે ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે તેને હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

પરિવારમાં શોકનું મોજું
એક તરફ અંબાજી દર્શન અને પ્રવાસનો માર્ગ હોવાથી આ હાઈવે હંમેશા વ્યસ્ત રહે છે, ત્યારે આ અકસ્માતે હાઈવે સૅફ્ટી પર ફરી સવાલો ઉભા કર્યા છે. પત્ની અને માતાનાં અકાળે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.