Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Massive fraud of Rs 1.99 crore in Arjun Jewellers in Mawadi, cashier flees after collecting money in the name of scheme

Rajkot news: મવડીના અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડની જંગી છેતરપિંડી, સ્કીમના નામે પૈસા ઉઘરાવી કેશિયર પલાયન

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: મવડીના અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડની જંગી છેતરપિંડી, સ્કીમના નામે પૈસા ઉઘરાવી કેશિયર પલાયન
સોર્સ : GSTV

Rajkot news: રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા જ્વેલરી શોરૂમમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અર્જુન જ્વેલર્સમાં જ કામ કરતા કેશિયરે ગ્રાહકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરવાની લાલચ આપી ૧.૯૯ કરોડ રૂપિયા જેવી માતબર રકમનું કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

App Store

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા 'અર્જુન જ્વેલર્સ'ના મનીષ પટેલ દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, તેમની પેઢીમાં મૂળ બોરસદનો વતની હિતેશ પરમાર નામનો શખ્સ કેશિયર તરીકે નોકરી કરતો હતો. જ્વેલર્સમાં આવતા ગ્રાહકો સાથે વ્યવહાર કરવાની જવાબદારી તેની હતી, પરંતુ તેણે માલિકના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવ્યો હતો.

કઈ રીતે આચર્યું કૌભાંડ?

આરોપી કેશિયર હિતેશ પરમારે જ્વેલર્સમાં આવતા ગ્રાહકોને જાળમાં ફસાવ્યા હતા. તેણે ગ્રાહકોને અર્જુન જ્વેલર્સની વિવિધ સ્કીમોમાં પૈસા રોકવાથી ભવિષ્યમાં ખૂબ જ ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. ગ્રાહકોએ જ્વેલર્સની શાખ જોઈને અને કેશિયર પર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયા જમા કરાવ્યા હતા. હિતેશે જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવ્યા હતા પરંતુ તે રકમ પેઢીમાં જમા કરાવવાને બદલે પોતે રાખી લીધી હતી અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે ભાંડો ફૂટ્યો?

આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે સ્કીમમાં રોકાણ કરનારા ગ્રાહકોએ વળતર કે મુદત પૂરી થતા પૈસાની ઉઘરાણી જ્વેલર્સના માલિક પાસે શરૂ કરી. મનીષ પટેલે તપાસ કરતા માલુમ પડ્યું કે કેશિયર હિતેશ પરમારે પેઢીની જાણ બહાર ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે અને હવે તે ગાયબ છે. કુલ 1.99 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી

આ બનાવ અંગે અર્જુન જ્વેલર્સના મનીષ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર આરોપી હિતેશ પરમાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.