Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Royal family Lalghoom against new appointment of Rajpipla Hindu Devasthan Samiti; Yuvraj Manvendra Singh registers strong protest

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવાર લાલઘૂમ; યુવરાજ માનવેન્દ્રસિંહે નોંધાવ્યો સખત વિરોધ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવાર લાલઘૂમ; યુવરાજ માનવેન્દ્રસિંહે નોંધાવ્યો સખત વિરોધ
સોર્સ : gstv

નર્મદાના રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહએ સખત વિરોધ નોંધાવ્યો છે. જેમાં સમિતિની નવી નિમણૂકમાં રાજકીય પાર્ટીના લોકોનો સમાવેશ થતા યુવરાજ માનવેન્દ્રસિંહ નારાજ થયા છે.

App Store

રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ

સમિતિની રચના મામલે માનવેન્દ્રસિંહએ કહ્યું કે, 'રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા. રાજવી પરિવારમાંથી માત્ર મારું જ નામ રાખવામાં આવ્યું છે. જો કે, અમે બીજાના પણ નામ આપ્યા હતા.'

'રાજવી પરિવારના વંશજ ના હોય તો અન્યાય થયો કહેવાય…'

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક રાજપરિવાર સાથે પરામર્શ કર્યા વિના કરવામાં આવી હોવાને લઈને યુવરાજ માનવેન્દ્રસિંહએ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં માનવેન્દ્રસિંહએ જણાવ્યું કે, 'મંદિરમાં ધર્મની વાતમાં રાજકીય લોકો ના આવવા જોઈએ. આ નિમણૂકમાં રાજવી પરિવારના વંશજ ના હોય તો અમને અન્યાય થયો છે તેમ કહેવાય. 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ કરવામાં આવ્યું નથી.'