Narmada news : નર્મદા નદી કિનારે ગોરા ઘાટની કામગીરીમાં ભેખડ ધસી, 3 શ્રમિકોના દટાઈ જતા મોત

સોર્સ : GSTV
Narmada news : નર્મદા નદી કિનારે ગોરા ઘાટનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગોરા ઘાટ ખાતે કામગીરી દરમિયાન અચાનક ભેખડ પડતાં દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 3 શ્રમિકોનાં દટાઈ જતાં મોત નીપજ્યા છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ત્રણેય મજૂરોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ભેખડ ધસી પડવાની ઘટના મામલે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

મૃતકોના નામ
- રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)
- દીપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)
- શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)

