VIDEO: કથાકાર પૂજ્ય મોરારિ બાપુએ ગોપનાથ રામકથામાં સનાતન ધર્મ, સંસ્કૃતિ અંગે આપ્યો આ મૅસેજ
સોર્સ : GSTV
VIDEO: અમદાવાદ શહેરમાં ચાલી રહેલી ગોપનાથ રામકથામાં જાણીતા કથાકાર પૂજ્ય મોરારિ બાપુએ સનાતન ધર્મ, મંદિર સંસ્કૃતિને લઈ સુંદર સંદેશ લોકોને આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અને મંદિર સંસ્કૃતિનું સંરક્ષણ આપણી જવાબદારી છે. સનાતન ધર્મ માત્ર એક આસ્થા નથી પરંતુ તે વારસો અને ઓળખ છે.
સનાતન ધર્મને સુરક્ષિત રાખવું એ આપણી સૌની જવાબદારી છે. તેમને વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીરામ,શિવ અને હનુમાનજી તેમજ માતા ભવાનીને દેવિત્વના સર્વોચ્ચ સ્વરૂપ વર્ણવામાં આવ્યા છે. જેથી સનાતન ધર્મના પવિત્ર વારસાને ક્યારેય ભૂલવો જોઈએ નહીં. સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ. ભાદરવાના ભીંડા સમાન અન્યોની વાતોમાં ન તણાઈ જવું જોઈએ.

