Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Weather Forecast: Scorching heat wreaks havoc in the state, temperature above 44 degrees in Ahmedabad-Gandhinagar, 'Yellow Alert' in 5 districts of Saurashtra-Kutch

Gujarat Weather Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, અમદાવાદ-ગાંધીનગરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, સૌરાષ્ટ્ર-કચ્છના 5 જિલ્લામાં 'યલો ઍલર્ટ'

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather Forecast: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, અમદાવાદ-ગાંધીનગરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન, સૌરાષ્ટ્ર-કચ્છના 5 જિલ્લામાં 'યલો ઍલર્ટ'
સોર્સ : GSTV

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

App Store

અમદાવાદ શહેર સૌથી ગરમ
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 44.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર પણ 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. આજે (27મી એપ્રિલ) પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને ભારે બફારા અને લૂનો સામનો કરવો પડશે.

આ જિલ્લાઓમાં હીટવેવ અને યલો ઍલર્ટ
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. ગરમીને પગલે આવતીકાલે (28મી એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો ઍલર્ટ સાથે હીટવેવની આગાહી હોવાથી લોકોને બપોરના સમયે બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

3 દિવસ પછી મળશે આંશિક રાહત
ગરમીના આ પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર પણ આપ્યા છે. જોકે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે, 3 દિવસના કાળઝાળ બપોર બાદ નાગરિકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.