Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court has abolished the privilege of the royal family of Danta

અંબાજી મંદિરમાં હવે આઠમની પૂજા સામાન્ય ભક્તો પણ કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર ગુજરાત હાઈકોર્ટ નાબૂદ કર્યો

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
અંબાજી મંદિરમાં હવે આઠમની પૂજા સામાન્ય ભક્તો પણ કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર ગુજરાત હાઈકોર્ટ નાબૂદ કર્યો
સોર્સ : GSTC

Ambaji news: ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર (Privilege) રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે.

App Store

શું હતો સમગ્ર વિવાદ?
બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.

ગુજરાત હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન

આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે:

લોકશાહીમાં વિશેષાધિકાર નહીં: રાજાશાહીના સમયના હકો હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી ધોરણે ચાલુ રાખી શકાય નહીં.

જાહેર ટ્રસ્ટનો નિયમ: અંબાજી મંદિર હવે એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક છે. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે.

ભક્તો માટે સમાનતા: પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે.

મંદિરની સ્થાપના બાદનો મોટો નિર્ણય

આ નિર્ણયને અંબાજી મંદિરના ઈતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે

ભક્તોમાં ખુશીનો માહોલ
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ ભેદભાવ રહેશે નહીં. આ ચુકાદાથી એ સાબિત થયું છે કે ઈશ્વરના દરબારમાં દરેક વ્યક્તિ સમાન છે અને વહીવટી પ્રક્રિયામાં પણ સમાનતા જળવાવી જોઈએ.