Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Pariksha Pe Charcha 2026 date and live telecast details

Pariksha Pe Charcha 2026ની તારીખ જાહેર થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૂર કરશે એક્ઝામનો ડર

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Pariksha Pe Charcha 2026ની તારીખ જાહેર થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દૂર કરશે એક્ઝામનો ડર
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) કાર્યક્રમ માટે તૈયાર છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નવમી આવૃત્તિ યોજાઈ રહી છે. જેની પ્રસારણ તારીખ જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે પ્રસારિત થશે.

App Store

પરીક્ષા પે ચર્ચા નવી સ્ટાઇલમાં

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સામાન્ય રીતે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાતો રહ્યો છે. જોકે, ગયા વર્ષથી તેનું ફોર્મેટ ઘણું બદલાઈ ગયું છે. ગયા વર્ષે તે દિલ્હીની સુંદર નર્સરીમાં યોજાયો હતો.

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવી પહેલ હેઠળ દેશના વિવિધ ભાગોના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ રહ્યા છે. તેમણે તાજેતરમાં દેવમોગરા, કોઈમ્બતુર, રાયપુર અને ગુવાહાટી જેવા શહેરોના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. વધુમાં કેટલાક વિદ્યાર્થીઓને દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન (7, લોક કલ્યાણ માર્ગ) પર તેમને મળવા અને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી.

રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશન

આ વર્ષે વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા અભિયાન માટે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે. અ વખતે કુલ 4.5 કરોડ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષના ગિનિસ વર્લ્ડ રેકોર્ડને વટાવી ગયું છે. આ વિદ્યાર્થીઓની સાથે આશરે 24.84 લાખ શિક્ષકો અને 6.15 લાખ વાલીઓએ પણ તેમની ભાગીદારી નોંધાવી છે.

કાર્યક્રમ ક્યાં પ્રસારિત થશે?

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 6 ફેબ્રુઆરીએ દૂરદર્શન (DD National, DD News, DD India) અને ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થશે. વિદ્યાર્થીઓ તેને યુટ્યુબ (શિક્ષણ મંત્રાલય), ફેસબુક લાઈવ અને MyGov.in પોર્ટલ પર પણ ઓનલાઈન જોઈ શકે છે. તે ખાનગી ટીવી ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે.