સેબીનો મોટો નિર્ણય: 'સિગ્નિફિકન્ટ ઈન્ડાઈસેઝ' માટે 20,000 કરોડ AUM જરૂરી; શું અસર થશે?

SEBI news: બજાર નિયમનકાર સેબીએ મંગળવારે સિગ્નિફિકન્ટ ઈન્ડાસેઝ નક્કી કરવા માટે એક નવું માળખું રજૂ કર્યું છે. આ હેઠળ, જો છેલ્લા સતત છ મહિનાથી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની દૈનિક સરેરાશ સંયુક્ત એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹20,000 કરોડથી વધુ હોય તો ઈન્ડેક્સને મહત્વપૂર્ણ સૂચકાંક ગણવામાં આવશે.
ઈન્ડાઇસેઝ સિસ્ટમમાં સુધારો કરવાનો હેતુઃ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે આ પગલું ઈન્ડેક્સ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીને મજબૂત બનાવવાનો છે. પરિપત્ર અનુસાર, સૂચકાંકોના વિતરણ માટેની આ મર્યાદાનું મૂલ્યાંકન દર વર્ષે 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ પૂરા થતા સમયગાળા માટે અર્ધ-વાર્ષિક ધોરણે કરવામાં આવશે.
એસેટ અન્ડર મેનેજમેન્ટથી નક્કી થશે ઈન્ડાઈસેઝ કેટેગરીઃ
સેબીએ સ્પષ્ટતા કરી છે કે, એક વખત ઈન્ડાઈસેઝને સિગ્નીફિકેન્ટ કેટેગરીમાં સામેલ કરી દેવાશે તો તે જ્યાં સુધી એનું એસેટ અન્ડર મેનેજમેન્ટ સતત ત્રણ વર્ષ સુધી નિર્ધારિત મર્યાદાની નીચે ન જાય ત્યાં સુધી એમાં જ રહેશે. સેબીએ જણાવ્યું હતું કે લિસ્ટેડ સિક્યોરિટીઝ પર આધારિત સૂચકાંકો છ મહિનાના સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે નિર્ધારિત AUM માપદંડોને પૂર્ણ કરે તો તેમને નોંધપાત્ર સૂચકાંકો ગણવામાં આવશે.
આ પગલું સેબી (ઈન્ડેક્સ પ્રોવાઇડર્સ) રેગ્યુલેશન્સ, 2024ના અમલીકરણને અનુસરે છે, જે નોંધપાત્ર સૂચકાંકોનું સંચાલન કરતા સૂચકાંક પ્રદાતાઓને લાગુ પડે છે.
સેબીએ 'સિગ્નિફિકેન્ટ ઈન્ડાઇસેઝ' યાદી બહાર પાડી
સેબીએ આવા સૂચકાંકોની પ્રારંભિક યાદી પણ બહાર પાડી છે, જેમાં મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50, તેમજ નિફ્ટી 500 અને બીએસઈ 500 જેવા વ્યાપક સૂચકાંકોનો સમાવેશ થાય છે. એનએસઈ ઈન્ડેક્સ લિમિટેડ, બીએસઇ ઈન્ડેક્સ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ અને ક્રિસિલના ક્ષેત્રીય, દેવા અને હાઈબ્રિડ ઇન્ડેક્સ (સૂચકાંકો)નો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
6 મહિનાની અંદર નોંધણી જરૂરી
નવી જોગવાઈ હેઠળ, આ 'મહત્વપૂર્ણ સૂચકાંકો'ના પ્રદાતાઓએ છ મહિનાની અંદર સેબી સાથે નોંધણી કરાવવી જરૂરી રહેશે. જો કે, આ જરૂરિયાત આરબીઆઈ દ્વારા અધિકૃત સૂચકાંકો પર લાગુ થશે નહીં. હાલના પ્રોવાઈડર્સઓને આ બદલાવના સમયગાળા દરમિયાન સંચાલન ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, જો કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરે.
સેબીએ એમ પણ જણાવ્યું હતું કે પહેલેથી જ નોંધાયેલ અને અન્ય કોઈપણ ક્ષમતામાં સૂચકાંકો સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓએ બે વર્ષની અંદર એક અલગ કાનૂની એન્ટિટી બનાવવી પડશે. નિયમનકારે સ્પષ્ટ કર્યું હતું કે ફરિયાદ નિવારણ પદ્ધતિ ફક્ત સેબી-રજિસ્ટર્ડ પ્રોવાઈડર્સ દ્વારા જારી કરાયેલા "સિગ્નિફિકન્ટ ઈન્ડાઈસેઝ" પર જ લાગુ પડશે.

