Market Crash: માર્કેટમાં તેજીનો સિલસિલો તૂટ્યો: નફાખોરી અને મેટલ શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં, RBI પોલિસી પહેલા ફફડાટ

Market Crash: ગુરુવારે માર્કેટનો ત્રણ દિવસનો તેજીનો સિલસિલો તૂટ્યો અને બજાર લાલ નિશાનમાં બંધ રહ્યું હતું. શેરબજારમાં આ ઘટાડો રોકાણકારો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નફો બુક કરાવવાને કારણે થયો હતો. સેન્સેક્સ 504 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ ઘટીને બંધ થયો.
ગુરુવારે, સેન્સેક્સ 83,757 પર ખુલ્યો અને દિવસના અંતે 0.60 ટકા ઘટીને 83,313 પર બંધ થયો. નિફ્ટી-50 25,755 પર ખુલ્યો અને 0.52 ટકા ઘટીને 25,642 પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂ. 469 લાખ કરોડથી ઘટીને રૂ. 466.5 લાખ કરોડ થયું અને રોકાણકારોને એક જ સત્રમાં રૂ. 2 લાખ કરોડનું નુકસાન થયું.
ટોપ ગેનર્સ લૂઝર્સ
નિફ્ટી-50 કંપનીઓમાં, ટ્રેન્ટમાં સૌથી વધુ 2.96 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, મેક્સ હેલ્થકેર 1.50 ટકા, ટાટા સ્ટીલ 1.13 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.95 ટકા અને ઓએનજીસી 0.85 ટકા વધ્યા.
નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન હિન્ડાલ્કોને થયું હતું, તેમાં 3.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ઈટરનલ 2.49 ટકા, ભારતી એરટેલ 1.66 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 1.53 ટકા અને એસબીઆઇ લાઈફ 1.18 ટકા ઘટ્યા હતા.
ગુરુવારે બજારમાં આવેલી કમજોરીની પાછળ એક નહીં પણ અનેક પરીબળો કામ કરી ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાની શ્રેણી મર્યાદિત હોઈ શકે છે, પરંતુ બજારમાં આંતરિક દબાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. પહેલું અને સૌથી મોટું કારણ મેટલ શેરોમાં તીવ્ર વેચવાલી હતી. મેટલ્સ સેક્ટર ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો છે. વૈશ્વિક સ્તરે મેટલના ભાવમાં ઘટાડો થયો છે, અને મજબૂત ડોલરને કારણે અન્ય ચલણો ધરાવતા રોકાણકારો માટે કોમોડિટીઝ મોંઘી બને છે. આ કારણે મેટલ શેરો પર દબાણ વધ્યું. નોંધનીય છે કે મેટલ ઈન્ડેક્સ પાછલા ત્રણ સત્રોમાં લગભગ 6% વધ્યો હતો, તેથી નફો વધવો હવે સ્પષ્ટ છે.
આજે શેરબજારમાં થયેલા ઘટાડાને કારણે ₹247,915 કરોડનું ધોવાણ થયું, જેનું બીજું સૌથી મોટું કારણ તાજેતરની તેજી પછી નફો બુકિંગ હતું. ભારત-યુએસ વેપાર સોદાને લગતા સકારાત્મક વલણને કારણે બજારમાં નોંધપાત્ર સુધારો થયો હતો. હવે આ તેજી પર રોકાણકારોએ નફો બૂક કરવાનો શરૂ કરી દીધો હતો. મોટા ભાગના સેક્ટરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યા હતાં. માત્ર આઇટી અને પીએસયુ ઈન્ડેક્સ થોડા મજબૂત જોવા મળ્યા હતાં.
આઇટી ઈન્ડેક્સમાં હલ્કી તેજી એટલા માટે જોવા મળી કારણ કે, ખાસ કરીને AI-આધારિત ફેરફારો અને ઓટોમેશન ટૂલ્સ અંગેની ચિંતાઓને કારણે એક દિવસ પહેલા એમાં છ ટકાનો મોટો ઘટાડો થયો હતો,
માર્કેટ ટ્રેન્ડ પર વાત કરતાં જિયોજીત ઈન્વેસ્ટમેન્ટના વી.કે. વીજયકુમારે જણાવ્યું હતું કે,નિફ્ટી હાલમાં કોન્સોલિડેશનના તબક્કામાં છે. ઈન્ડેક્સ સ્તરે કોઈ મોટી ચાલ જોવા મળી નથી, પરંતુ નિફ્ટીની અંદરના ઘણા શેરોમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે, ખાસ કરીને આઇટી શેરોમાં.
ત્રીજું કારણ નબળા વૈશ્વિક સંકેતો હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 3%થી વધુ ઘટ્યો, જ્યારે જાપાન, ચીન અને હોંગકોંગના બજારોમાં પણ ઘટાડો થયો. અમેરિકામાં, નાસ્ડેક અને એસ એન્ડ પી 500 નીચા સ્તરે બંધ થયા, જેના કારણે ભારતીય બજાર પર દબાણ આવ્યું.
ચોથું પરિબળ એફઆઈઆઈ દ્વારા નબળી ખરીદી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો બુધવારે માત્ર 29.79 કરોડના ચોખ્ખા ખરીદદાર હતા, જે એક દિવસ પહેલા ₹5,236.28 કરોડના મજબૂત ખરીદદાર હતા. આનો અર્થ એ થયો કે હાલમાં વિદેશી ભંડોળ ખૂબ સાવધ દેખાય છે.
પાંચમું કારણ RBIની નાણાકીય નીતિ બેઠકની આસપાસની અનિશ્ચિતતા છે. ભારતીય રિઝર્વ બેંકની નીતિ પહેલા રોકાણકારો સાવધ બની ગયા છે. ગવર્નર સંજય મલ્હોત્રા છ સભ્યોની એમપીસીનું નેતૃત્વ કરે છે, અને શુક્રવારે સવારે નિર્ણય આવવાની અપેક્ષા છે.
SBIના એક અભ્યાસ મુજબ, આ વખતે વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. બજાજ બ્રોકિંગ સૂચવે છે કે ભાવિ બજારની દિશા આરબીઆઇના નિવેદનો અને યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના વેપાર સોદાની વિગતો પર આધારિત રહેશે.
છઠ્ઠું પરિબળ ભારત VIX હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 12.28 પર પહોંચ્યો હતો, જે રોકાણકારોની વધતી જતી ગભરાટને પ્રતિબિંબિત કરે છે અને તીવ્ર ઈન્ટ્રાડે વોલેટિલિટી સૂચવે છે.
સાતમું કારણ એક્સપાયરી ડે હતું. સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ગુરુવારે એક્સપાયર થયા હતા. આવા દિવસોમાં, પોઝિશન અનવાઈન્ડિંગ અને રોલઓવરને કારણે બજાર વધુ અસ્થિર હોય છે.

