Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Good news for crores of employees: There is a strong possibility that this amount will be deposited in the accounts of more than 7 crore members

કરોડો નોકરીયાતો માટે ગુડ ન્યૂઝ: 7 કરોડથી વધુ સભ્યોના ખાતામાં આ રકમ જમા થવાની પ્રબળ શક્યતા

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કરોડો નોકરીયાતો માટે ગુડ ન્યૂઝ: 7 કરોડથી વધુ સભ્યોના ખાતામાં આ રકમ જમા થવાની પ્રબળ શક્યતા
સોર્સ : GSTV

Employee PF interest Rate: સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના 7 કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે.

App Store

સામાન્ય પ્રક્રિયા હેઠળ, EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) દ્વારા ભલામણ કરાયેલા 8.25% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

સતત ત્રીજા વર્ષે વ્યાજદર યથાવત

આ અગાઉ, 2 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBTની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજદર 8.25% રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EPF ફંડ માટે ગેરન્ટર હોવાથી, CBTના આ નિર્ણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.

નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, EPFO દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં FY26 માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, EPFO દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે.

છેલ્લા કેટલાક વર્ષોના વ્યાજદરનો ટ્રેન્ડ

અગાઉના વર્ષો પર નજર કરીએ તો EPFOએ વ્યાજદરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે:

•    FY25 (2024-25): ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ EPFOએ વ્યાજદર 8.25% પર યથાવત રાખ્યો હતો.

•    FY24 (2023-24): વર્ષ 2024માં EPFOએ વ્યાજદર 8.15%થી વધારીને 8.25% કર્યો હતો.

•    FY22 (2021-22): માર્ચ 2022માં વ્યાજદર ઘટાડીને 8.10% કરવામાં આવ્યો હતો, જે તે સમયે છેલ્લા 4 દાયકાનો સૌથી નીચો સ્તર હતો. આ પૂર્વે 1977-78માં વ્યાજદર 8% નોંધાયો હતો.

•    FY20 (2019-20): માર્ચ 2020માં PF પરનો વ્યાજદર 8.65%થી ઘટાડીને 8.5% કરવામાં આવ્યો હતો.

•    અન્ય વર્ષો: EPFOએ સભ્યોને 2016-17માં 8.65%, 2017-18માં 8.55% અને 2015-16માં 8.8% વ્યાજ આપ્યું હતું. જ્યારે 2013-14 અને 2014-15માં આ દર 8.75% હતો.

ટોપિક્સ:employee pf interest rateepfo