Adani Group: મૂડીઝે વધાર્યું અદાણી ગ્રુપનું રેટિંગ, લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મૂક્યો અતૂટ વિશ્વાસ; જાણો કઈ કંપનીઓને થયો ફાયદો?

Adani Group: વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે અદાણી જૂથની ત્રણ મુખ્ય કંપનીઓ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝએડ), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ (એટીએસઓએલ) અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (એઇએમએલ)—ની આઉટલૂકને Baa3/સ્ટેબલ સુધી અપગ્રેડ કરી છે. આ નિર્ણય આગામી 12–18 મહિનામાં ગ્રુપની મજબૂત લિક્વિડિટી અને રોકાણ-ગ્રેડ Baa3 રેટિંગને અનુરૂપ ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખવાની ક્ષમતામાં મૂડીઝનો વિશ્વાસ દર્શાવે છે.
મૂડીઝના આ મૂલ્યાંકન અદાણી જૂથની રાષ્ટ્ર નિર્માણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ભારતનાં પરિવર્તનમાં યોગદાન આપવા માટેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે. મૂડીઝે જણાવ્યું કે એટીએસઓએલ અને એઇએમએલ આગામી 12-18 મહિનામાં લિક્વિડિટી અને રોકાણ ગ્રેડ રેટિંગને ટેકો આપતી ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખશે. મૂડીઝે એટીએસઓએલ અને એઇએમએલ બંને માટે Baa3 સિનિયર સિક્યોર્ડ રેટિંગ્સને સમર્થન આપતા એઇએમએલ (P)Baa3 સિનિયર સિક્યોર્ડ મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામને પણ સમર્થન આપ્યું છે.
એટીએસઓએલ ના રેટિંગની પુષ્ટિ તેની પેરેન્ટ કંપની, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (એઇએસએલ) સાથેના મજબૂત ક્રેડિટ પર આધારભૂત છે. કંપનીઓના બોન્ડ્સ પર ગેરંટી અને એઇએસએલ ના ક્રેડિટ પ્રોફાઇલ સાથે જોડાયેલી ડિફોલ્ટ જોગવાઈઓ પણ તેમાં શામેલ છે. મૂડીઝે સ્થિર ઓપરેટિંગ કામગીરી પ્રદાન કરવામાં એઇએસએલ ના નિયમનકારી ટ્રાન્સમિશન અને વિતરણ સંપત્તિના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને મુખ્ય પરિબળ તરીકે પ્રકાશિત કર્યો છે.
આગામી બે વર્ષમાં નોંધપાત્ર મૂડી ખર્ચની અપેક્ષા હોવા છતાં મૂડીઝે ક્રેડિટ મેટ્રિક્સને જાળવતી પ્રક્રિયા અમલમાં મૂકવાની એઇએસએલ ની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અપગ્રેડ ગ્રુપની લિક્વિડિટી, નાણાકીય શિસ્ત અને રોકાણ-ગ્રેડ ક્રેડિટ પ્રોફાઇલને ટકાવી રાખવાની ક્ષમતામાં વિશ્વાસને પુન:પુષ્ટિ આપે છે.
મૂડીઝે અદાણી પોર્ટ્સને ધ્યાનમાં રાખતા જણાવ્યું છે કે, એપીએસઈઝેડ એક મજબૂત લિક્વિડિટી સ્થિતિ અને તેના Baa3 રેટિંગ સાથે સંરેખિત ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખશે તેવો અંદાજ છે. મજબૂત નાણાકીય સ્થિતિ, વિવેકપૂર્ણ અભિગમ અને ભંડોળ સ્ત્રોતો દ્વારા એપીએસઇઝેડના મૂલ્યાંકનને મજબૂત બનાવવામાં આવ્યું છે.
મૂડીઝે આગાહી કરી છે કે એઇએમએલનો પ્રી-વર્કિંગ કેપિટલથી દેવા સુધીના રોકડ પ્રવાહનો ગુણોત્તર આગામી એક થી બે વર્ષમાં 10.5% થી 11.5% ની રેન્જમાં રહેશે, જે તેનું મજબૂત પ્રદર્શનને દર્શાવે છે. એકંદરે, અપગ્રેડેડ આઉટલુક અદાણી જૂથના નાણાકીય વ્યવસ્થાપન અને કાર્યકારી સ્થિતિસ્થાપકતામાં વિશ્વાસમાં વધારો દર્શાવે છે.

