Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Shocking statistics of deaths of Indian laborers who went to work abroad; More than 800 people lost their lives in 3 years

VIDEO: વિદેશ કામ કરવા ગયેલા ભારતીય શ્રમિકોના મોતના ચોંકાવનારા આંકડા; 3 વર્ષમાં 800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદેશમાં કામ કરવા માટે ગયેલા ભારતીય નાગરિકોના જીવનને લઈને એક ખૂબ જ ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના આંકડા મુજબ, વર્ષ 2023 થી 2025 ની વચ્ચે વિદેશમાં કામ કરતી વખતે 800 થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંથી 55% મોત માત્ર ખાડી (Gulf) દેશોમાં થયા છે. જ્યાં સરેરાશ દર અઠવાડિયે લગભગ 3 શ્રમિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં 12 ભારતીયોના મોત બાદ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store

કયા દેશમાં કેટલા શ્રમિકોના મોત થયા?

વિદેશી દેશોની યાદીમાં સાઉદી અરેબિયા મોખરે છે. જ્યાં 3 વર્ષમાં સૌથી વધુ 182 મોત નોંધાયા છે, એટલે કે દર અઠવાડિયે એક કરતા વધુ ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) નો નંબર આવે છે. જ્યાં 128 મોત થયા છે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી જ આત્મહત્યાના સૌથી વધુ કેસો પણ સામે આવ્યા છે. જે ત્યાં કામ કરતા પ્રવાસી શ્રમિકોના કઠોર સંઘર્ષોને ઉજાગર કરે છે.

મોત અને અકસ્માતોના મુખ્ય કારણો શું છે?

તેલંગાણા એનઆરઆઈ માઈગ્રન્ટ્સ એસોસિએશન અને વિશેષજ્ઞોના મતે, આ મોત પાછળ અનેક મોટા કારણો જવાબદાર છે.
સુરક્ષા નિયમોની અનદેખી: શ્રમિકો દ્વારા હેલ્મેટ, જૂતાં અને મોજા જેવા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ ન કરવો અથવા કંપનીઓ દ્વારા સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન કરાવવું. ઘણીવાર શ્રમિકો પણ જોખમોથી અજાણ રહે છે.
ખતરનાક તાપમાનમાં કામ: ઘણા શ્રમિકો 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં કામ કરે છે અને પછી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઠંડા રૂમમાં પાછા ફરે છે. શરીર પર પડતા આ અચાનક 20 થી 25 ડિગ્રીના તાપમાનના તફાવતથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા થાય છે.

જોખમી ક્ષેત્રો: મોટાભાગના ભારતીયો ખાડી દેશોમાં કન્સ્ટ્રક્શન, રિટેલ, વેરહાઉસ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે, જ્યાં અકસ્માતનું જોખમ ઘણું વધારે હોય છે.

આત્મહત્યા અને માનસિક તણાવના કારણો

એસોસિએશનના જણાવ્યા અનુસાર, શ્રમિકોમાં આત્મહત્યાના કેસો પાછળ ખરાબ રહેણી-કરણી જવાબદાર છે. શ્રમિકોને અત્યંત તંગ જગ્યાઓ પર રહેવું પડે છે અને ખાવાની ગુણવત્તા પણ સારી હોતી નથી. શ્રમિકો દિવસમાં 12-12 કલાક કામ કરે છે, પરંતુ ઘણીવાર તેમને 3 મહિના સુધી વેતન મળતું નથી. સેલરી મળવા પર પણ મનમાની રીતે પૈસા કાપી લેવામાં આવે છે, જેનાથી તેમનો માનસિક તણાવ વધુ વધી જાય છે. ઘણી નિયોક્તા કંપનીઓ કામ દરમિયાન થયેલા મોતને કુદરતી મોત (જેમ કે હાર્ટ અટેક) બતાવીને પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી કરી લે છે. ખૂબ ઓછી કંપનીઓ વીમા દ્વારા વળતર આપે છે.

સરકાર અને દૂતાવાસોના પ્રયાસો

આ આંકડાઓને જોતા વિદેશ મંત્રાલય (MEA) નું કહેવું છે કે સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને ભલાઈને સર્વોપરી રાખે છે. નવી દિલ્હીની સાથે-સાથે દુબઈ, રિયાદ અને જેદ્દાહ જેવા શહેરોમાં 'પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર' બનાવવામાં આવ્યા છે. ભારતીય મિશન સતત લેબર વિંગના માધ્યમથી કામ કરી રહ્યા છે. દૂર-દરાજ વિસ્તારોમાં જઈને ઓપન હાઉસ અને કેમ્પ લગાવવામાં આવે છે જેથી શ્રમિકોની સમસ્યાઓ સાંભળી શકાય. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માત્ર સરકારી એજન્સીઓને જ 'ઈ-માઈગ્રેટ' પોર્ટલના માધ્યમથી ઈસીઆર (ECR) પાસપોર્ટવાળી મહિલાઓને ખાડી દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.