Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : India-Russia Relations: Foreign Minister Jaishankar met Russian President Putin in Moscow, know what was discussed between the two?

India-Russia Relations : મોસ્કોમાં વિદેશ મંત્રી જયશંકર રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને મળ્યા, જાણો, બંને વચ્ચે શું વાત થઈ?

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2025
લાઇવ ટીવીGoogle News
India-Russia Relations : મોસ્કોમાં વિદેશ મંત્રી જયશંકર રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને મળ્યા, જાણો, બંને વચ્ચે શું વાત થઈ?
સોર્સ : GOOGLE

India-Russia Relations : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે (21 ઓગસ્ટ) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.  પુતિન સાથેની મુલાકાત પહેલાં જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે પણ વિગતવાર વાતચીત કરી હતી, જેનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને આગળ ધપાવવાનું હતું.

App Store

'મેક ઇન ઈન્ડિયા'ને રશિયાનું સમર્થન
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે (S.Jaishankar) કહ્યું કે, ‘અમારું માનવું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ભારત-રશિયા વચ્ચેના સંબંધો વિશ્વના સૌથી મજબૂત સંબંધોમાંથી એક છે. રશિયા સાથેનો ભારતનો સંરક્ષણ અને સૈન્ય સહયોગ અત્યંત મજબૂત છે. રશિયા 'મેક ઇન ઇન્ડિયા' લક્ષ્યાંકોનું સમર્થન કરે છે, જેમાં સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.’ આ બેઠકોમાં વિદેશ મંત્રીએ રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીય નાગરિકોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો માત્ર વેપાર જ નહીં, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીમાં પણ ઊંડા સંબંધો જાળવી રહ્યા છે.

પુતિન ભારત આવશે
ઉલ્લેખનીય છે કે, પુતિન (Russian President Vladimir Putin) નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત કરી શકે છે. ત્યારે આ મુલાકાતને અંતિમ રૂપ આપવા માટે જયશંકર મોસ્કો મંગળવારથી જ મોસ્કોમાં છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે રશિયા પર પશ્ચિમી દેશોના 
પ્રતિબંધોને કારણે તે વૈકલ્પિક આર્થિક ભાગીદારો શોધી રહ્યું છે, અને ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.