VIDEO: સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલને મળી મંજૂરી, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી અગત્યનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો છે. મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલને મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારા મુદ્દે બિલ દ્વારા સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ વર્ષ ઓગ્ણીસો છપ્પનમાં સુધારો કરીને દેશના મુખ્ય ન્યાયાધીશ સિવાય ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન ત્રેત્રીસમાંથી વધારીને સાડાત્રીસ કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના નિરાકરણને ઝડપી બનાવશે.
સરકારી આંકડા અનુસાર સુપ્રીમ કોર્ટમાં 92 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. છેલ્લા કેટલાક દાયકામાં પેન્ડિંગ કેસમાં સતત વધારો થતાં સરકારે ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો આ નિર્ણય લીધો છે. ઐતિહાસિક સંદર્ભમાં વર્ષ ઓગ્ણીસો છ્યાસીમાં ન્યાયાધીશોની સંખ્યા સત્તરથી વધારીને, વર્ષ બે હજાર આઠમાં પચ્ચીસથી વધારીને ત્રીસ અને બે હજાર ઓગ્ણીસમાં ત્રીસથી વધારીને ત્રેત્રીસ કરવામાં આવી હતી. હવે સાત વર્ષ પછી આ સંખ્યા સાડાત્રીસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત અને ઝડપી બનાવવામાં મદદ મળશે.

