VIDEO: કાશ્મીરમાં આસ્થાનો પુનર્જન્મ: 36 વર્ષના લાંબા અંતરાલ બાદ શ્રીનગરનું ઐતિહાસિક રઘુનાથ મંદિર ફરીથી ધમધમ્યું!
સોર્સ : GSTV
VIDEO: શ્રીનગરના હબ્બકદલ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક રઘુનાથ મંદિર 36 વર્ષ બાદ ફરીથી ખોલવામાં આવ્યું છે. આતંકી પ્રવૃતિઓના કારણે 1990માં બંધ પડેલા આ મંદિરનું પુનઃઉદ્ઘઘાટન કરવામાં આવ્યું છે
રામ નવમીના ભવ્ય દિવસે શ્રીનગરમાં 36 વર્ષ બાદ ઐતિહાસિક રઘુનાથ મંદિર ફરીથી ખોલવામાં આવ્યું છે. ઉદ્ઘઘાટન સમારોહમાં પોલીસ અધિકારીઓ અને કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યો હાજર રહ્યા. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે સુમેળ અને સહયોગના વાતાવરણમાં આ તહેવારો ઉજવાઈ રહ્યા છે.
રઘુનાથ મંદિર કાશ્મીરી પંડિતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે. તે 1857માં મહારાજા ગુલાબ સિંહ દ્વારા જમ્મુના રઘુનાથ મંદિરના મોડેલ પર બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક કાશ્મીરી પંડિતો માટે ખીણમાં પાછા ફરવાના સમયનું પ્રતીક ગણાવ્યું.

