VIDEO: આસામ ચૂંટણી 2026: બાંગ્લાદેશી ઘૂસણખોરોને મુખ્યમંત્રીની ખુલ્લી ચેતવણી, જમીન છીનવી ગરીબોને વહેંચવાનો વાયદો
VIDEO: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અતિક્રમણ કરાયેલી જમીનને ખાલી કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પછી ભાજપ સરકાર ફરીથી સત્તામાં આવશે, તો રાજ્યભરમાં અતિક્રમણ હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આગામી સરકાર બન્યા પછી તેઓ પાંચ લાખ વિઘા અતિક્રમણ કરાયેલી જમીન દૂર કરવાનું કામકરશે. આસામમાં નદી કિનારાના વિસ્તારો સહિત કુલ 50 લાખ વિઘા જમીન પર અતિક્રમણ છે. તેમણે કહ્યું કે પ્રભાવશાળી લોકો પાસેથી પણ આ જમીન પાછી મેળવવામાં આવશે અને તેને ગરીબોમાં વહેંચી દેવામાં આવશે.ચૂંટણી પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમા તેમના આક્રમક નિવેદનો માટે સમાચારમાં છવાયેલા છે.
સરમાએ વધુમાં જણાવ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય બાકીના તમામ લોકો ભાજપ સાથે છે. કોઈપણ ભારતીય મૂળનો વ્યક્તિ કોંગ્રેસને મત આપશે નહીં. તેમણે કહ્યું કે આ વખતે સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે અને લોકો પૂરા દિલથી મતદાન કરશે. આસામ વિધાનસભાની 126 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે પરિણામો 4 મેના રોજ જાહેર થશે

