VIDEO: રાહુલ ગાંધીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, "ભાજપના 240 સાંસદોમાંથી લગભગ દરેક છઠ્ઠા સાંસદે મતચોરીથી જીત મેળવી"
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, લોકસભાના 240 ભાજપ સાંસદોમાંથી દરેક છઠ્ઠા સાંસદે મતચોરી દ્વારા જીત મેળવી છે. તેમણે હરિયાણાની સરકારને પણ ઘુસણખોર કહીને નિશાન બનાવ્યું છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ક્યારેક મતચોરીથી બેઠકો ચોરાય છે અને ક્યારેક આખી સરકારો. લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી લગભગ દરેક છઠ્ઠા સાંસદે મતચોરીથી જીત મેળવી છે. જો નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાઈ હોત તો ભાજપ 140થી વધુ બેઠકો જીતી શક્યું ન હોત.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાહુલે મમતા બેનર્જીના આરોપને સમર્થન આપતાં કહ્યું કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસેથી 100થી વધુ બેઠકો ચોરી કરવામાં આવી છે. તેમણે આસામ, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને લોકસભા વર્ષ બે હજાર ચોવીસના ઉદાહરણો પણ આપ્યા.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે, કૃપા કરીને લોકોના આદેશનું સન્માન કરવાનું શીખો. બંધારણીય અધિકારીઓ પર જેટલા વધુ હુમલા કરશો, તેટલી તમારી વિશ્વસનીયતા ઘટશે. રિજિજુએ કોંગ્રેસ પર મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે જોવાનો આરોપ પણ લગાવ્યો. રાહુલ ગાંધીના આ વિવાદાસ્પદ નિવેદનોથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. વિરોધી પક્ષોએ આ આરોપોને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર હુમલો ગણાવ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષે તેને નકારી કાઢ્યો છે.

