Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Punjab CM Bhagwant Mann inaugurated the state-wide Shukra Yatra, received blessings from Guru Sahib

VIDEO: પંજાબના CM ભગવંત માને કરાવ્યો રાજ્યવ્યાપી શુક્રાના યાત્રાનો પ્રારંભ, મેળવ્યા ગુરુ સાહિબના આશીર્વાદ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખાલસા પંથના જન્મસ્થળ શ્રી આનંદપુર સાહિબથી રાજ્યવ્યાપી શુક્રાના યાત્રાનો પ્રારંભ કરાવ્યો. કેબિનેટ મંત્રી હરજોત સિંહ બેન્સ અને આનંદપુર સાહિબ લોકસભા મતવિસ્તારના સાંસદ માલવિંદર સિંહ કાંગ પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા.

App Store

યાત્રા શરૂ કરતા પહેલા મુખ્યમંત્રીએ તખ્ત શ્રી કેસગઢ સાહિબમાં માથું નમાવીને ગુરુ સાહિબના આશીર્વાદ મેળવ્યા. આ યાત્રા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા જગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર કાયદો સુધારો બે હજાર છવ્વીસ પછી નીકળી છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે, પંજાબ સરકાર શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ગરિમા અને સન્માનનું રક્ષણ કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે, લોકો લાંબા સમયથી અપવિત્રતાની ઘટનાઓને રોકવા માટે કડક કાયદાની માંગ કરી રહ્યા હતા અને સરકારે જનતાની ભાવના મુજબ આ પગલું ભર્યું છે. પંજાબ ગુરુઓ, પીરો અને સંતોની પવિત્ર ભૂમિ છે. તેથી અહીં ધાર્મિક લાગણીઓનો આદર સર્વોપરી છે. હવે કોઈ ગુરુ ગ્રંથ સાહિબનો અનાદર કરવાની હિંમત નહીં કરી શકે. યાત્રાને લઈને અલગ અલગ જિલ્લાઓમાં વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ગો પર સ્વાગત દરવાજા બનાવવામાં આવ્યા છે અને લોકો મોટી સંખ્યામાં યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. ધાર્મિક સંગઠનો અને સ્થાનિક રહેવાસીઓ પણ આ યાત્રામાં ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.