VIDEO: કેદારનાથમાં શ્રદ્ધાનું ઘોડાપૂર! માત્ર 4 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, ભક્તિના રંગે રંગાયું ધામ
VIDEO: ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા બાદ માત્ર ચાર દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા છે. રૂદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર વહીવટીતંત્રે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા બનાવી છે. હેલિપેડટ્રેકિંગ રૂટ અને મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર સુરક્ષાની ટીમ તૈનાત કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. યાત્રાનો ચોથો દિવસ છે અને તે ખૂબ જ સરળતાથી ચાલી રહી છે. 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર ખંતપૂર્વક કામ કરી રહ્યું છે.આ દરમિયાન કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ભકુંટ ભૈરવનાથ મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોની મોટી સંખ્યા એકઠી થઈને ભક્તિભાવે પ્રાર્થના કરી હતી. ભૈરવનાથ મંદિરને કેદારનાથ ધામના રક્ષક દેવતા માનવામાં આવે છે. શિયાળામાં કેદારનાથ મંદિર બંધ હોય ત્યારે ભૈરવનાથજી આ પ્રદેશનું રક્ષણ કરે છે એવી ધાર્મિક માન્યતા છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ દેશ વિદેશના તમામ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી છે. વહીવટીતંત્રે યાત્રાળુઓની સલામતી અને સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. આ વર્ષે કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ નોંધપાત્ર વધ્યો છે.

