VIDEO : ANDARNI VAAT/ સુરક્ષાના દબાણ વચ્ચે પ્રશાસને એક જ અઠવાડિયામાં પૂર્ણ કર્યો સુશોભન પ્રોજેક્ટ
જમ્મુ-કાશ્મીરના પ્રવેશદ્વાર ગણાતા કથુઆના લખનપુરમાં અમરનાથ યાત્રીઓના સ્વાગત માટે ડોગરા કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું અદભુત ૩ડી વોલ મ્યુરલ એટલે કે દિવાલ ચિત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.. લખનપુર મ્યુનિસિપલ કમિટી દ્વારા સ્થાનિક વિરાસતને ઉજાગર કરવા અને વિસ્તારના સુશોભન માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાં થીમેટિક પ્રવેશદ્વારો અને મહારાજા ગુલાબસિંહની પ્રતિમાનું સમારકામ સામેલ છે.. છેલ્લા ચાર વર્ષથી જમ્મુમાં લોકપ્રિય બનેલી ટકાઉ ૩ડી સિમેન્ટ કલાનો અહીં ઉપયોગ કરાયો છે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળની અંદરની વાત એ છે કે, દર વર્ષે સુરક્ષા અને વ્યવસ્થાના કારણે ચર્ચામાં રહેતું પ્રશાસન આ વખતે યાત્રીઓ સમક્ષ જમ્મુ-કાશ્મીરની સકારાત્મક અને ભવ્ય સાંસ્કૃતિક છબી રજૂ કરવા આંતરિક રીતે ભારે દબાણમાં હતું. યાત્રા શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ સુશોભનનું કામ એક અઠવાડિયામાં ગમે તેમ પૂરું કરવાનો કડક આદેશ છે.

