Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : High alert Ayodhya as Saryu river flow increases

ANDAR NI VAA/ VIDEO : સરયૂ નદીનો પ્રવાહ વધતા અયોધ્યામાં હાઈ-એલર્ટ, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે SDRFનું પેટ્રોલિંગ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીના જળસ્તરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.. નદીનું પાણી કિનારાથી આશરે ૧૫થી ૨૦ ફૂટ આગળ વધી ગયું છે અને તેની ઊંડાઈમાં પણ ૩થી ૪ ફૂટનો વધારો નોંધાયો છે, આ ગંભીર સ્થિતિને જોતાં પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે ઘાટ પર યુપી એસડીઆરએફ અને પોલીસની ટીમો તૈનાત કરી સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે લાઉડસ્પીકર અને એલાર્મ દ્વારા સતત જાહેરાતો કરવામાં આવી રહી છે કે તેઓ ઊંડા પાણીમાં ન જાય અને માત્ર બેરિકેડિંગવાળા સુરક્ષિત વિસ્તારમાં જ સ્નાન કરે. આ ઉપરાંત, હોડીઓના સંચાલન માટે પણ ચોક્કસ સમય નક્કી કરી, લાઈફ જેકેટ અને મહત્તમ ૮ મુસાફરોની મર્યાદા જેવા કડક નિયમો લાગુ કરાયા છે..

App Store

આ વધતા જળસ્તરની અંદરની ખાસ વાત એ છે કે, આગામી દિવસોમાં યોજાનારા મોટા ધાર્મિક ઉત્સવોને કારણે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટવાની સંભાવના છે, જે વહીવટીતંત્ર માટે મોટો પડકાર બનશે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નદીનો પ્રવાહ અચાનક વધી રહ્યો છે અને ઘાટ પર કાંપ જમા થવાને કારણે લપસણ વધી ગઈ છે, જે શ્રદ્ધાળુઓ માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે.. એસડીઆરએફના ચંદ્રમણિ અને પોલીસ ટીમ આ ગુપ્ત જોખમોને ધ્યાને રાખીને જ ઘાટ પર ૨૪ કલાક કડક નજર રાખી રહ્યા છે.. વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર જેવી સ્થિતિ સર્જાય તે પહેલાં જ તમામ ઘાટો પર ચુસ્ત સુરક્ષા કવચ ઊભું કરી શકાય જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે.