VIDEO: IND vs ZIM / સાંજે 7:30 નહીં, આટલા વાગ્યે શરૂ થશે T20I મેચ; અહીં જાણો શેડ્યૂલ
ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝમાં 0-4થી કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે તે નિરાશાને પાછળ છોડીને આગળ વધવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે, જ્યાં બંને ટીમો ત્રણ મેચની T20I સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ પ્રવાસની નિષ્ફળતાને ભૂલીને ભારતીય યુવા બ્રિગેડ આ સિરીઝ જીતીને નવેસરથી શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ સિરીઝ 23 જુલાઈથી શરૂ થશે
આ પ્રવાસની સૌથી મોટી ખાસિયત એ છે કે નિયમિત ભારતીય કોચ ગૌતમ ગંભીર આ સિરીઝનો ભાગ નથી. તેના સ્થાને અનુભવી VVS લક્ષ્મણને આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય કેપ્ટન તરીકે પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહેલા સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે. આ સીરીઝમાં બધાની નજર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝની બીજી T20Iમાં ડેબ્યુ કરનાર વૈભવ, પાછલા પ્રવાસમાં ત્રણ મેચ રમ્યો હતો, પરંતુ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો હતો. હવે, ઝિમ્બાબ્વે સામે આ તેના માટે પોતાને સાબિત કરવા અને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની એક સુવર્ણ અને મહત્ત્વપૂર્ણ તક હશે.
સાંજે 7:30 વાગ્યે નહીં, મેચો આ સમયે શરૂ થશે
ભારતીય ફેન્સ સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાની T20I મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે જોવા માટે ટેવાયેલા હોય છે, પરંતુ આ સિરીઝમાં મેચનો અનોખો સમય હશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. સિરીઝના શેડ્યૂલની વાત કરીએ તો, પહેલી T20I 23 જુલાઈએ, ત્યારબાદ બીજી મેચ 25 જુલાઈએ અને ત્રીજી મેચ 26 જુલાઈએ રમાશે. ત્રણેય મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ભારતની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ.

