Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After the defeat against England, the fielding coach left the Indian team! A 5 year journey is over

VIDEO: ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ફિલ્ડિંગ કોચની ટીમ ઈન્ડિયામાંથી વિદાય! ખતમ થઈ 5 વર્ષની સફર

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે T20I અને ODI સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે T20I સિરીઝમાં ભારતને 4-0થી હરાવ્યું હતું અને પછી ભારત ODI સિરીઝ 2-1થી હારી ગયું હતું. આ પછી, ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો ટીમ સાથેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. તે 2021માં ટીમ ઇન્ડિયામાં કોચ તરીકે જોડાયો હતો અને હવે પાંચ વર્ષ પછી રાજીનામું આપી દીધું છે.

App Store

ટી દિલીપની ટીમ ઈન્ડિયામાંથી વિદાય

છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ટી દિલીપના ટીમ ઈન્ડિયા છોડી દેવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે, એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે ટી. દિલીપનો કાર્યકાળ ઈંગ્લેન્ડ પ્રવાસ પછી સમાપ્ત થઈ ગયો છે. ગૌતમ ગંભીર ગેડ કોચ બન્યા પછી તેમનો કરાર લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે સમાપ્ત થઈ ગયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે નથી અને તેનો કરાર લંબાવવાની આશા ઓછી છે.

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20I સિરીઝ 23 જુલાઈથી શરૂ થવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સભ્યો ઝિમ્બાબ્વે પહોંચ્યા છે. ભારતીય ટીમને છેલ્લી બે T20I સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની હાર બાદ, ટીમ ઈન્ડિયા હવે એશિયન ગેમ્સ પહેલા ઝિમ્બાબ્વેને હરાવીને ગતિ પાછી મેળવવાનો પ્રયાસ કરશે.

ઝીમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ

શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા, રિંકુ સિંહ, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, હર્ષ દુબે, ઈશાન કિશન, પ્રભસિમરન સિંહ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, મયંક યાદવ, અશોક શર્મા અને રવિ બિશ્નોઈ.