Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MS Dhoni point out big challenge for Indian Team in T20 World Cup 2026

VIDEO / એમએસ ધોનીને T20 વર્લ્ડ કપમાં આ વસ્તુનો લાગી રહ્યો છે ડર, કયાંક તૂટી ન જાય ભારતનું સપનું

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO / એમએસ ધોનીને T20 વર્લ્ડ કપમાં આ વસ્તુનો લાગી રહ્યો છે ડર, કયાંક તૂટી ન જાય ભારતનું સપનું
સોર્સ : GSTV

ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચે સમાપ્ત થશે. જેમાં ભારત ઘરઆંગણે મેચ રમશે, જેના કારણે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ભારતને T20 વર્લ્ડ કપ જીતવાનું મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

App Store

ભારતની મજબૂત ટીમને જોતાં ઘણા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ માને છે કે ટીમ ઈન્ડિયામાં 2026નો વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા છે. હવે આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની ભવિષ્યવાણી કરી છે. તેણે ભારતને એક મજબૂત ટીમ ગણાવી છે, પરંતુ ધોનીને એક એવી વસ્તુનો પણ ડર છે જે ભારત માટે અવરોધ બની શકે છે.

એમએસ ધોનીએ શું કહ્યું?

સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર જતીન સંપ્રુ સાથે વાત કરતા એમએસ ધોનીએ કહ્યું, "ભારતીય ટીમ સૌથી ખતરનાક ટીમ છે. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ ખતરનાક છે. આ ટીમ પાસે અનુભવ છે, ખાસ કરીને T20 ફોર્મેટમાં. ખેલાડીઓએ દબાણ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને દરેક ખેલાડી પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. મારા માટે સૌથી મોટી ચિંતા ઝાકળ છે. મને ઝાકળ નફરત છે કારણ કે તે ઘણી બધી બાબતો બદલી નાખે છે."

ધોનીએ આગળ કહ્યું, "જ્યારે હું રમી રહ્યો હતો, ત્યારે મને ઝાકળથી ખૂબ ડર લાગતો હતો. આવા સમયે ટોસ તમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ બની જાય છે. જો આપણે ક્વોલિટી ટીમો સામે 10 મેચ રમીએ, તો તે લગભગ નિશ્ચિત છે કે આપણે જીતીશું. જોકે, સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમારા ખેલાડીઓનો દિવસ ખરાબ હોય અને વિરોધી ટીમમાંથી કોઈનો દિવસ સારો હોય અને T20 ક્રિકેટમાં આવું ઘણીવાર થાય છે. આ ગમે ત્યારે થઈ શકે છે, પછી ભલે તે લીગ સ્ટેજ હોય ​​કે નોકઆઉટ સ્ટેજ."

T20 વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ

ભારતની મેચો વિશે વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં USAનો સામનો કરશે. ત્યારબાદ ભારત 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે. આ પછી 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે મેચ રમાશે. જોકે, પાકિસ્તાને તે મેચમાં ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ ભારત 18 ફેબ્રુઆરીએ તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે.