VIDEO: મોહમ્મદ સિરાજ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝમાંથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સિરાજને શરૂઆતમાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની 16 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
બોર્ડે જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કર્યા પછી સિરાજને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં સિરાજના સ્થાને પ્તરસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પ્રસિદ્ધ કૃષ્ણાએ છેલ્લે નવેમ્બર 2023માં T20I મેચ રમી હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યું સ્થાન
કામના ભારણ વ્યવસ્થાપનના ભાગ રૂપે મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની આગામી T20I સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI સિરીઝ બાદ, ભારતીય ક્રિકેટ ટીમ બે મેચની T20I સિરીઝ માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે, જેના માટે શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCCIએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ T20I સિરીઝ માટે ભારતીય ટીમમાં ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટ સાથે પરામર્શ કર્યા પછી, સિરાજને વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. લાંબી આંતરરાષ્ટ્રીય સિઝન પહેલા સિરાજ સંપૂર્ણપણે ફિટ રહે તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે."
ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ
ભારતીય ટીમ 26 અને 28 જૂને આયર્લેન્ડ સામે બે T20I રમશે. ત્યારબાદ 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20I સિરીઝ શરૂ થશે.
સિરાજની અફઘાનિસ્તાન સામે છેલ્લી મેચ રમ્યો
સિરાજ તાજેતરમાં મુલ્લાનપુરમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં રમ્યો હતો. ભારતે તે એકમાત્ર ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં ઈનિંગ અને 300 રનથી જીતી હતી. સિરાજે તે મેચમાં 13 ઓવર બોલિંગ કરી હતી અને એક વિકેટ લીધી હતી. તે પહેલા સિરાજે IPL 2026 માં ગુજરાત ટાઈટન્સ માટે બધી 17 મેચ રમી હતી અને ફાઈનલમાં પહોંચવામાં તેની ટીમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં, GTની ટીમ રનર-અપ રહી હતી, અને RCB સતત બીજી સિઝનમાં ટ્રોફી જીતી હતી.
સિરાજે ફેબ્રુઆરીમાં 2026 T20 વર્લ્ડ કપ દરમિયાન USA સામે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે 13 જૂનથી શરૂ થતી અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ભારતની ટીમનો ભાગ રહેશે.
બીજી તરફ, પ્રસિદ્ધ કૃષ્ણાએ તાજેતરની IPL સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે 12 મેચ રમી હતી. તેણે અફઘાનિસ્તાન સામે મુલ્લાનપુર ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. તે મેચમાં તેણે 14 ઓવર બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી.
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ T20I માટે ટીમ ઈન્ડિયા
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા.

