Operation Sindoor: IPL મેચ પહેલા સ્ટેડિયમમાં લાગ્યા 'ભારત માતા કી જય' ના નારા, ખેલાડીઓએ સેનાની બહાદુરીને કર્યું સેલ્યુટ

ગઈકાલે IPL 2025ની 57મી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી. મેચની શરૂઆત દેશભક્તિ અને બહાદુરીથી થઈ હતી. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે 'Operation Sindoor' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ અંગે, બંને ટીમો (KKR-CSK) એ ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી.
મેચ શરૂ થાય તે પહેલાં, બધા ખેલાડીઓ, સ્ટાફ અને દર્શકો રાષ્ટ્રગીત માટે ઉભા થયા હતા. સ્ટેડિયમ પર એક મોટી LED સ્ક્રીન પર લખેલું હતું. 'ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે' (Proud of the Indian Armed Forces). બંને ટીમોના ખેલાડીઓ આ દરમિયાન એક લાઈનમાં ઉભા હતા. સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરતા નારા આખા સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યા હતા. લોકો 'ભારત માતા કી જય' ના નારા પણ લગાવી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે 1:30 વાગ્યે, ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આને અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઈક કહેવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે ભારતે પાકિસ્તાનના પંજાબ પર સીધો હુમલો કર્યો હોય. પીઓકેમાં હુમલાઓ થતા રહ્યા છે.

