Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's squad announced for Asia Cup 2025

Asia Cup 2025 માટે જાહેર થઈ ભારતની સ્કવોડ, સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 માટે જાહેર થઈ ભારતની સ્કવોડ, સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન
સોર્સ : GSTV

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ હશે. એશિયા કપ ટીમમાં મોટાભાગના ચહેરા એવા છે જેમની પસંદગી થવાની અપેક્ષા હતી. જોકે, કેટલાક પ્રખ્યાત ખેલાડીઓને ટીમની બહાર પણ રાખવામાં આવ્યા છે. શુભમન ગિલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. તેને ફક્ત એશિયા કપ ટીમમાં સામેલ ન નથી કરવામાં આવ્યો પરંતુ તેને ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

App Store

શુભમન ગિલને તક મળી

ભારતીય સિલેક્ટર્સે એશિયા કપ માટે અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડીમાં વિશ્વાસ રાખ્યો છે. ઓપનર અભિષેક શર્મા T20 રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન પણ છે. તેના ઉપરાંત, T20 રેન્કિંગમાં વિશ્વના નંબર 2 બેટ્સમેન તિલક વર્માની પણ એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી છે.

સંજુ, અભિષેક અને તિલક ટોપ ઓર્ડરમાં છે, જ્યારે મિડલ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રિંકુ સિંહ જેવા ખેલાડીઓને સ્થાન મળતું જોવા મળી રહ્યું છે. જીતેશ શર્મા ટીમમાં બીજો વિકેટકીપર બેટ્સમેન છે.

બોલિંગ મોરચે, બુમરાહ અને અર્શદીપ પેસ એટેકનો બોજ ઉઠાવતા જોવા મળશે. સ્પિનને મજબૂત બનાવવા માટે વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને એશિયા કપ ટીમમાં ઉમેરવામાં આવ્યા છે.

આ ખેલાડીઓને સ્થાન ન મળ્યું

જોકે, કેટલાક મોટા ખેલાડીઓ એવા હતા જેમને તક નથી મળી. તે ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ જેવા નામો શામેલ હતા. જોકે  જયસ્વાલ અને સુંદરને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર.

ટીમ ઈન્ડિયા વધુ એક એશિયા કપ જીતવા માટે તૈયાર છે

એશિયા કપની 17મી આવૃત્તિ 9 સપ્ટેમ્બરથી UAEમાં યોજાવાની છે. આ વખતે ભારત ફક્ત જીતવા જ નહીં પરંતુ તેના ખિતાબને ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. ટીમે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ 2023માં એશિયા કપની 16મી આવૃત્તિ જીતી હતી. ભારત એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે. તેણે આ મલ્ટીનેશન ટુર્નામેન્ટ 8 વખત જીતી છે. મતલબ કે, આ વખતે ભારતીય ટીમ પાસે 9મી વખત એશિયા કપ જીતવાની તક હશે.