Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gautam Gambhir said this on Rohit Sharma and Virat Kohli's future

શું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી નિવૃત્તિ લેશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? ગૌતમ ગંભીરે ખેલાડીઓ અંગે આપ્યું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
શું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી નિવૃત્તિ લેશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? ગૌતમ ગંભીરે ખેલાડીઓ અંગે આપ્યું નિવેદન
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમે બે મેચની ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું હતું. દિલ્હીમાં બીજી ટેસ્ટના પાંચમા દિવસે ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. આ પછી, હેડ કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે મોટી વાત કહી હતી. બંને અનુભવી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ODI સિરીઝમાં રમતા જોવા મળશે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ સિરીઝ તેમનું ભવિષ્ય નક્કી કરશે.

App Store

વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારે હેડ કોચ રાહુલ દ્રવિડ હતો. ત્યારબાદ ગૌતમ ગંભીરને કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ વર્ષે, રોહિત અને કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી, અને હવે બંને ફક્ત ODIમાં જ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા, મેનેજમેન્ટે રોહિતને ODI કેપ્ટનશિપમાંથી દૂર કરીને શુભમન ગિલને કમાન સોંપી છે. આ પછી, એવું માનવામાં આવતું હતું કે તે 2027 વર્લ્ડ કપ સુધી રમે તે મુશ્કેલ છે. હવે, ગંભીરે બંને અનુભવી ખેલાડીઓના ભવિષ્ય વિશેમોટી વાત કહીને ચર્ચા ફરી શરૂ કરી છે.

રોહિત અને કોહલીના ભવિષ્ય વિશે ગંભીરે શું કહ્યું?

ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "આપણે વર્તમાનમાં રહેવું પડશે. અમને આશા છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સફળ થશે. અમારે આગામી સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જે ઓસ્ટ્રેલિયા સામે છે. તેમાં કોઈ શંકા નથી કે બંને (કોહલી અને રોહિત) ઉત્તમ ખેલાડીઓ છે. અમારે જોવું પડશે કે તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કેવું પ્રદર્શન કરે છે."

રોહિત અને કોહલીએ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં રોહિતે 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું, અને કેપ્ટન રોહિતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

શું વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 સુધી રમશે?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોહલી અને રોહિત 2027 સુધી રમશે. ગંભીરના નિવેદનથી એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા પછી તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. કોહલી હાલમાં 36 વર્ષનો છે અને વર્લ્ડ કપ દરમિયાન 38 વર્ષનો હશે. 2027ના વર્લ્ડ કપ સમયે રોહિત 40 વર્ષનો હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની ODI કારકિર્દી

વિરાટ કોહલીએ 2024 અને 2025માં કુલ 10 ODI મેચ રમી હતી, જેમાં 331 રન બનાવ્યા હતા. આ બે વર્ષમાં તેણે 2 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. કોહલીએ પોતાની કારકિર્દીમાં 302 વનડેમાં 14,181 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 51 સદી અને 74 અડધી સદી ફટકારી છે.

રોહિત શર્માની વાત કરીએ તો, તેણે 2024 અને 2025માં 11 ODI મેચ રમી હતી, જેમાં 459 રન બનાવ્યા હતા. આ બે વર્ષમાં તેણે 3 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. રોહિતની કારકિર્દી વાત કરીએ તો તેણે 273 વનડેમાં 11,168 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 32 સદી અને 58 અડધી સદી ફટકારી છે.