VIDEO: એમએસ ધોની IPL 2027માં રમશે કે નહીં? CSK મેનેજમેન્ટે 'થાલા' ની નિવૃત્તિ અંગે આપ્યું મોટું અપડેટ
એમએસ ધોનીએ IPL 2026માં એક પણ મેચ નહતી રમી. ધોની તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે, અને ફેન્સ તેને રમ્યા વિના નિવૃત્તિ લેતા જોવા નથી માંગતા. આ જ કારણ છે કે હવે ધોનીને IPL 2027માં રમવાની માંગ કરવામાં આવી રહી છે. એમએસ ધોનીએ હજુ સુધી તેના ભવિષ્ય વિશે કોઈ અપડેટ નથી આપ્યું. CSKના CEO કાસી વિશ્વનાથને IPL 2027માં ધોનીની ભાગીદારી અને નિવૃત્તિ અંગે અપડેટ આપ્યું છે.
ઈજાને કારણે ધોની IPL 2026માં નહતો રમી શક્યો
IPL 2026 પહેલા, એમએસ ધોનીને પ્રેક્ટિસ કરતી વખતે ઈજા થઈ હતી. જેના કારણે તે થોડા અઠવાડિયા માટે બહાર થઈ ગયો હતો. જોકે, ધોની સમયસર સ્વસ્થ નહતો થઈ શક્યો અને તેથી તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી.
CSK મેનેજમેન્ટે ધોનીના ભવિષ્ય અંગે અપડેટ આપ્યું
CSKના CEO કાસી વિશ્વનાથને જણાવ્યું કે ધોની આગામી સિઝનમાં રમી શકે છે. તેણે હજુ સુધી તેની સાથે આ વિશે વાત નથી કરી, પરંતુ તે કરશે. તેણે કહ્યું, "હું સમજું છું કે તે આગામી સિઝનમાં પાછો ફરશે. અમે હજુ સુધી તેની સાથે આ વિશે વાત નથી કરી, પરંતુ અમને આશા છે કે ધોની પાછો ફરશે."
એમએસ ધોની ક્યારે નિવૃત્ત થશે?
CSKના CEO કાસી વિશ્વનાથને જણાવ્યું હતું કે ધોની ચેન્નાઈમાં તેની છેલ્લી મેચ રમશે અને ઈચ્છે છે કે તે તેનું વચન પાળે. તેમણે કહ્યું, "અમે પણ આશા રાખીએ છીએ કે તે CSKના ફેન્સને આપેલું વચન પાળશે અને ચેન્નાઈમાં તેની છેલ્લી મેચ રમશે."
IPL 2026 માં ધોની વિના CSKનું પ્રદર્શન
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન પ્રભાવશાળી નહતું. ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને રહી હતી. તે 14માંથી 6 મેચ જીતી અને 8 હારી હતી. આ કારણે તે પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ શકી.
એમએસ ધોનીને ઘૂંટણની સમસ્યા છે
IPL 2026માં ચેન્નાઈમાં CSKની છેલ્લી મેચ પછી એમએસ ધોનીએ ફેન્સનું અભિવાદન કર્યું હતું. દરમિયાન, સુરેશ રૈના ધોનીને મળ્યો હતો. રૈનાએ ધોનીને આગામી સિઝનમાં રમવા માટે વિનંતી કરી હતી, જેના જવાબમાં થાલાએ કહ્યું કે તેનું શરીર હવે તેને ટેકો નથી આપતું. ધોની ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.

