Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big news for Hitman fans: How is Rohit's career ending suddenly?

VIDEO: હિટમેન ફેન્સ માટે મોટા સમાચાર: અચાનક કેવી રીતે ખતમ થઈ રહી છે રોહિતની કરિયર? સિલેક્ટર્સે આપ્યો મોટો સંકેત

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રોહિત શર્માની ઇન્ટરનેશનલ કરિયરનો અંત આવી રહ્યો છે. લોર્ડ્સના મેદાન પર 19 જુલાઈએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને છેલ્લી વનડે મેચ રોહિત શર્માની કરિયરની પણ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સિલેક્ટર્સ અને ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટે રોહિત શર્માને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં રમાનારા વર્લ્ડ કપમાં તેને તક આપવાના નથી. આ જ કારણે હવે લોર્ડ્સ વનડે તેમની કરિયરની છેલ્લી મેચ હોઈ શકે છે. સવાલ એ થાય છે કે અચાનક એવું તો શું બન્યું કે આટલા મોટા દિગ્ગજ ખેલાડીને વર્લ્ડ કપ 2027 માટે લાયક ગણવામાં નથી આવી રહ્યા? અચાનક કેવી રીતે રોહિત શર્માની કરિયરનો અંત આવી રહ્યો છે? અહીં જાણો તેના 3 મુખ્ય કારણો:

App Store

1. રોહિતના સંન્યાસનું પહેલું મોટું કારણ: ફિટનેસ

રોહિત શર્માના સંન્યાસનું સૌથી મોટું કારણ તેમની ફિટનેસ છે. રોહિત શર્માએ છેલ્લા એક વર્ષમાં પોતાનું વજન ચોક્કસ ઓછું કર્યું છે, પરંતુ તેમ છતાં આ દિગ્ગજ ખેલાડી વારંવાર ઈજાગ્રસ્ત (Injury Prone) થાય છે. આઈપીએલ 2026 (IPL 2026) દરમિયાન પણ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો અને ફરી એકવાર હેમસ્ટ્રિંગની ઈજાનો સામનો કરવો પડ્યો હતો. આ ઈજાના કારણે તેમણે આઈપીએલમાં 5 મેચ ગુમાવવી પડી હતી. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં રમવા અંગે પણ ચિંતા હતી, જોકે તે રમતો રહ્યો હતો.

2. રોહિતના સંન્યાસનું બીજું મોટું કારણ: ખરાબ ફોર્મ

રોહિત શર્માના સંન્યાસનું બીજું અને સૌથી મહત્ત્વનું કારણ તેમનું ફોર્મ છે. રોહિત શર્મા વર્ષ 2026માં વનડે ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં બે મેચમાં ફ્લોપ થયા તે પહેલા પણ રોહિત નિષ્ફળ રહ્યો હતો. તે આ વર્ષે 8 ઇનિંગ્સમાં માત્ર 30.12ની એવરેજથી 241 રન જ બનાવી શક્યો છે. આ ખેલાડીનો સ્ટ્રાઇક રેટ પણ સતત નીચે જઈ રહ્યો છે. રોહિત જ્યારે કેપ્ટન હતો ત્યારે પાવરપ્લેમાં 120થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવતો હતો, પરંતુ કેપ્ટનશીપ પરથી હટ્યા બાદ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ ખેલાડી 90થી પણ ઓછા સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે.

3. રોહિતના સંન્યાસનું ત્રીજું મોટું કારણ: મજબૂત વિકલ્પોની હાજરી

રોહિત શર્માના સંન્યાસનું ત્રીજું મોટું કારણ એ છે કે ટીમ ઇન્ડિયા પાસે હવે ઓપનિંગમાં મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતીય ટીમ પાસે યશસ્વી જયસ્વાલ જેવા ઓપનર છે, જેઓ માત્ર 6 વનડે મેચમાં 2 સદી ફટકાવી ચૂક્યા છે અને વનડેમાં તેમની એવરેજ 70થી વધુની છે. તેમના સિવાય ઇશાન કિશન પણ ટીમ ઇન્ડિયામાં છે, જેમણે આ જ વર્ષે વનડે ટીમમાં વાપસી કરી છે. ઇશાન વનડેમાં 45થી વધુની એવરેજથી 1092 રન બનાવી ચૂક્યા છે અને તેમના નામે વનડેમાં બેવડી સદી પણ છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ વિકેટકીપર પણ છે, જેથી સાઉથ આફ્રિકામાં રમાનારા વર્લ્ડ કપમાં તેઓ રેગ્યુલર કીપર તરીકે રમી શકે છે.