VIDEO: UK પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ દેખાવથી BCCI નારાજ, ઓગસ્ટમાં થશે મોટી સમીક્ષા બેઠક
BCCI ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરના પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યું છે. UK પ્રવાસ પર પણ આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને 0-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડે T20 અને ODI સિરીઝમાં ભારતને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ UK પ્રવાસ પર 10 મેચ રમી હતી, જેમાં ફક્ત એક જ જીતી હતી. હવે એવા સમાચાર છે કે BCCI ટૂંક સમયમાં આ પ્રદર્શન અંગે સમીક્ષા બેઠક યોજી શકે છે.
BCCI ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સમીક્ષા કરશે
એક અહેવાલ અનુસાર, આ સમીક્ષા બેઠક ઓગસ્ટની શરૂઆતમાં થવાની સંભાવના છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે સમીક્ષા બેઠક ખાસ કરીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડની વ્હાઇટ-બોલ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, બેઠકની તારીખ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી.
આયર્લેન્ડ પ્રવાસ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ કારકિર્દીની શરૂઆત હતી. ઈતિહાસમાં પ્રથમ વખત આયર્લેન્ડે ભારતીય ટીમ સામે સિરીઝ જીતી હતી. ટીમ મેનેજમેન્ટે યુવા ટીમ વિકસાવવાનો પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે, આ દરમિયાન ઈંગ્લેન્ડે T20 સિરીઝમાં ભારતને 0-4થી હરાવ્યું હતું. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ODI ટીમ પણ સિરીઝ 1-2થી હારી ગઈ હતી.
કોચિંગ સ્ટાફ પણ તપાસ હેઠળ
આ જ અહેવાલમાં જણાવાયું છે કે BCCIની સમીક્ષા બેઠકમાં કોચિંગ સ્ટાફના કેટલાક સભ્યો પર પણ કાર્યવાહી થઈ શકે છે. તાજેતરના અપડેટમાં જાણવા મળ્યું છે કે રાયન ટેન ડોશેટે પોતે BCCIને તેને દૂર કરવા વિનંતી કરી છે. તેનો બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને તેને નવો કરાર નહીં મળે તેવી શક્યતા છે. દરમિયાન, ભારતીય ટીમે UK પ્રવાસ પર ખરાબ ફિલ્ડિંગ કરી હતી. પરિણામે, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ BCCIના રડાર હેઠળ હોઈ શકે છે.

