સંજુ સેમસનને વધુ તક મળવી જોઈએ કે નહીં? T20 વર્લ્ડ કપ પહેલા અજિંક્ય રહાણેએ ટીમ મેનેજમેન્ટને આપી સલાહ

ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ મેનેજમેન્ટને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20I સિરીઝમાં ઓપનરના સંઘર્ષ છતાં સંજુ સેમસનને ટેકો આપવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે. T20 વર્લ્ડ કપ 2026 નજીક આવી રહ્યો છે, ત્યારે રહાણે માને છે કે આ એક એવો તબક્કો છે જ્યાં નેતૃત્વ, હ્રૂપનો વિશ્વાસ અને સ્પષ્ટતા સેમસનને તેના શ્રેષ્ઠ ફોર્મને ફરીથી શોધવામાં મદદ કરી શકે છે.
ગુવાહાટી T20I માં સેમસન શૂન્ય પર આઉટ થયો
ગુવાહાટી T20Iમાં ગોલ્ડન ડક સાથે સેમસનનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું, જેના કારણે તે 2026માં અત્યાર સુધી 3 મેચમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે, જે વર્લ્ડ કપની તૈયારીઓ પહેલા ચિંતાજનક બાબત છે. રહાણેએ કહ્યું કે મેનેજમેન્ટ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સેમસન સાથે રહે તેવી શક્યતા છે, તેણે ભારપૂર્વક કહ્યું કે મુશ્કેલ સમયમાં ક્વોલિટી ખેલાડીઓને સપોર્ટઆપવો જરૂરી છે.
'વિશ્વાસ કરવાની જરૂર છે'
અજિંક્ય રહાણેએ વધુમાં કહ્યું, "એક બેટ્સમેન તરીકે, મેં આ ફોર્મેટમાં જોયું છે કે ક્યારેક તમે આઉટ થવા પર ખરાબ દેખાશો અને તે ઠીક છે. હંમેશા વિશ્વાસની વાત હોયછે. તે બહાર જઈને સ્વતંત્રતાથી રમવા અને પોતાના પર વિશ્વાસ રાખવા વિશે છે."
અભિષેકની નકલ ન કરો
અજિંક્ય રહાણેએ તે પણ કહ્યું કે સંજુ સેમસનને ઈન-ફોર્મ અભિષેક શર્માની સ્ટાઇલની નકલ કરવાની જરૂર નથી, જે સિરીઝમાં ટોપ ઓર્ડરમાં પોતાનો જલવો દેખાડી રહ્યો છે. અભિષેકે ત્રીજી T20Iમેચમાં માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારીને ભારતને મોટી જીત અપાવી હતી. ત્યારે રહાણે ઈચ્છે છે કે સેમસન તેની કુદરતી રમત રમે.

