Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why is the habit of sitting and moving legs considered inauspicious? Know Astrology, Vastu and Psychological Mystery

બેઠા-બેઠા પગ હલાવવાની આદત કેમ માનવામાં આવે છે અશુભ? જાણો જ્યોતિષ, વાસ્તુ અને મનોવૈજ્ઞાનિક રહસ્ય

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
બેઠા-બેઠા પગ હલાવવાની આદત કેમ માનવામાં આવે છે અશુભ? જાણો જ્યોતિષ, વાસ્તુ અને મનોવૈજ્ઞાનિક રહસ્ય
સોર્સ : gstv

આપણા ઘરમાં વડીલો અવારનવાર ખુરશી કે પલંગ પર બેસીને પગ હલાવતા લોકોને તરત જ ટોકે છે. ઘણા લોકો તેને સામાન્ય આદત કે વડીલોની અંધશ્રદ્ધા માનીને નજરઅંદાજ કરી દે છે. જોકે, ભારતીય પરંપરા, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં આ મનાઈ પાછળ ઊંડાં કારણો છુપાયેલાં છે.

App Store

માન્યતા અનુસાર, બેઠા-બેઠા સતત પગ હલાવવાથી આર્થિક નુકસાન અને અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ આદત કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર પાડે છે. આવો જાણીએ, જ્યોતિષ, વાસ્તુ અને માનસિક દ્રષ્ટિકોણથી પગ હલાવવાની આદતના નુકસાન:

ધનહાનિ અને દરિદ્રતાનું કારણ

શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, વગર કારણે પગ હલાવવાની આદત ઘરમાંથી લક્ષ્મી અને સમૃદ્ધિને દૂર કરે છે. તેને દરિદ્રતા (અલક્ષ્મી)નું આહ્વાન માનવામાં આવે છે. આમ કરવાથી બિનજરૂરી ખર્ચાઓ વધે છે અને હાથમાં આવેલું ધન ટકતું નથી.

ચંદ્ર અને શનિ ગ્રહ પર નકારાત્મક અસર

જ્યોતિષશાસ્ત્ર મુજબ, ચંદ્ર મનનો કારક છે અને શનિ સ્થિરતા તથા કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. સતત પગ હલાવવાથી કુંડળીમાં ચંદ્ર અને શનિ બંને નબળા પડે છે. આ ગ્રહદોષને કારણે જીવનમાં અસ્થિરતા, અચાનક આવતા સંઘર્ષો અને આર્થિક મુશ્કેલીઓ વધવા લાગે છે.

માનસિક તણાવ અને અજંપો

માનસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, વારંવાર પગ હલાવવાની આદત વ્યક્તિના અંતરમનમાં રહેલી બેચેની, અસુરક્ષા અને માનસિક તણાવ દર્શાવે છે. આ આદત મગજને શાંત થવા દેતી નથી અને સતત ચિંતામાં વધારો કરે છે.

એકાગ્રતા અને કાર્યક્ષમતામાં ઘટાડો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, અકારણ શરીરના અંગોને અસ્થિર રાખવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. આ નકારાત્મકતા વ્યક્તિના ધ્યાનને ભટકાવે છે, જેથી એકાગ્રતામાં ખામી સર્જાય છે અને હાથમાં લીધેલા કામમાં અચાનક અવરોધો ઊભા થાય છે.

જો તમને પણ બેઠા-બેઠા પગ હલાવવાની આદત હોય, તો સમય રહેતાં તેને સુધારી લેવી હિતાવહ છે, જેથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને માનસિક સ્થિરતા જળવાઈ રહે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.