Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : When and how to wear Rudraksha beads? Know these important rules!

Religion: રુદ્રાક્ષની માળા ક્યારે અને કેવી રીતે પહેરવી? જાણો આ મહત્ત્વના નિયમો!

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: રુદ્રાક્ષની માળા ક્યારે અને કેવી રીતે પહેરવી? જાણો આ મહત્ત્વના નિયમો!
સોર્સ : GSTV

સનાતન ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં રુદ્રાક્ષને ભગવાન શિવનું સાક્ષાત્ સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ, રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના અશ્રુબિંદુઓમાંથી થઈ છે. આ જ કારણ છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પર મહાદેવની વિશેષ કૃપા રહે છે. જોકે, શાસ્ત્રોમાં રુદ્રાક્ષ ધારણ કરવા માટેના ચોક્કસ નિયમો અને સાવચેતીઓ દર્શાવવામાં આવી છે. જો નિયમ મુજબ રુદ્રાક્ષ પહેરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે, અન્યથા તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે.

App Store

રુદ્રાક્ષ ધારણ કરવા માટેનો યોગ્ય સમય

શાસ્ત્રો અનુસાર ગમે ત્યારે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ નહીં. તેને સિદ્ધ અને પ્રભાવશાળી બનાવવા માટે નીચેના દિવસો ઉત્તમ છે:

સોમવાર (મહાદેવનો પ્રિય દિવસ)
શ્રાવણ માસ
મહાશિવરાત્રિ
પૂનમ કે અમાસ

રુદ્રાક્ષ ધારણ કરવાની સાચી રીત

બજારમાંથી લાવેલ રુદ્રાક્ષ સીધો જ પહેરવો જોઈએ નહીં. તેને ધારણ કરવાની એક ચોક્કસ વિધિ છે:

શુદ્ધિકરણ: બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. રુદ્રાક્ષને ગંગાજળ અને પંચામૃતથી પવિત્ર કરો.

અભિષેક: રુદ્રાક્ષને શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિના ચરણોમાં સ્પર્શ કરાવો.

મંત્રજાપ: થોડીવાર ભગવાન શિવ સામે રુદ્રાક્ષ રાખી 'ૐ નમઃ શિવાય' ના જાપ કરી, સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેને ધારણ કરો.

ધ્યાનમાં રાખવાના ખાસ નિયમો

રુદ્રાક્ષની પવિત્રતા જાળવવા માટે નીચેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે:

દોરો: રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા રેશમી દોરામાં અથવા સોના-ચાંદીમાં જ પહેરવો. તેને ક્યારેય કાળા દોરામાં ન પરોવવો.

શૌચ-સ્નાન: અશુદ્ધ હાથે ક્યારેય રુદ્રાક્ષને સ્પર્શ ન કરવો. શૌચક્રિયા કે સ્નાન કરતી વખતે તેને ઉતારી દેવો હિતાવહ છે.

સુતક: સ્મશાન યાત્રામાં જતી વખતે અથવા જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય (સુતક હોય) ત્યાં જતી વખતે રુદ્રાક્ષ ઉતારીને મંદિરમાં મૂકી દેવો જોઈએ.

ખાન-પાન: રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ માંસ, મિદરા કે અન્ય તામસિક આહારથી દૂર રહેવું જોઈએ.

રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા

માનસિક શાંતિ: રુદ્રાક્ષ ધારણ કરવાથી તણાવ દૂર થાય છે અને એકાગ્રતા વધે છે.

રક્ષણાત્મક કવચ: તે નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપે છે અને આત્મવિશ્વાસ વધારે છે.

સ્વાસ્થ્ય: વિજ્ઞાન અને જ્યોતિષ મુજબ, રુદ્રાક્ષ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના રોગોમાં રાહત આપે છે.

સફળતા: કાર્યક્ષેત્રમાં આવતી અડચણો દૂર થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.