VIDEO: રક્ષાબંધન પર કેવી હોવી જોઈએ પૂજાની થાળી? આ 6 વસ્તુઓ રાખવાથી ભાઈનું ભાગ્ય ચમકશે!
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ એક એવો ઉત્સવ છે જે ભાઈ-બહેનના સંબંધને સમર્પિત છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને આજીવન સુરક્ષિત રહેવાના આશીર્વાદ આપે છે.
આ એક એવી દોર છે જે સંબંધોને ખૂબ મજબૂત બનાવે છે અને અનેક જન્મોના બંધનમાં બદલે છે. આ એક રીતે ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો વિશેષ પર્વ છે જે પૂરી દુનિયામાં ઉજવવામાં આવે છે. આ દિવસે પહેલા બહેનો પોતાના ભાઈને તિલક કરે છે, પછી રાખડી બાંધે છે અને તેમની સુરક્ષાની કામના કરે છે.
આટલું જ નહીં, ભાઈ પોતાની બહેનનો હંમેશા સાથ નિભાવવાનું વચન આપે છે. જેટલું જરૂરી આ દિવસે રાખડી બાંધવાનું માનવામાં આવે છે, તેટલું જ રાખડીની થાળીને સજાવવી પણ જરૂરી હોય છે. આ વર્ષે રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ કે, રાખડીની થાળીમાં કઈ વસ્તુઓ ચોક્કસ રાખવી જોઈએ.
રક્ષાબંધન થાળી સામગ્રી લિસ્ટ
રક્ષાબંધનની થાળીમાં કેટલીક જરૂરી વસ્તુઓ હોવી જોઈએ, જેથી જ્યારે તમે ભાઈને રાખડી બાંધો તે સમયે તમામ વસ્તુઓ એકસાથે મળી જાય અને આટલું જ નહીં પૂજામાં પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય.
કંકુ કે રોલી
રક્ષાબંધનની થાળીમાં સૌથી વધુ જરૂરી છે કંકુ કે રોલી રાખવી. તેનાથી બહેનો ભાઈના કપાળ પર ટીકો કરે છે. ભાઈને ટીકો લગાવતા પહેલાં ભગવાનને કંકુ કે રોલીનો ટીકો લગાવો.
અક્ષત
અક્ષત (ચોખા) કોઈપણ પૂજામાં અનિવાર્ય માનવામાં આવે છે અને જ્યારે તમે ભાઈને ટીકો લગાવો છો ત્યારે તેમાં અક્ષત રાખવા ખૂબ જરૂરી માનવામાં આવે છે. અક્ષતને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. પૂજાની થાળીમાં તેને તમે એક નાની વાટકીમાં વ્યવસ્થિત કરીને રાખો.
રાખડી
રક્ષાબંધનની સૌથી જરૂરી સામગ્રી રાખડી માનવામાં આવે છે. ભાઈને રાખડી બાંધતા પહેલાં તમારે તમામ દેવતાઓને રાખડી બાંધવી જોઈએ. તમે તે જ સંખ્યા અનુસાર થાળીમાં રાખડી રાખો જેટલી તમારા માટે જરૂરી હોય.
દીવો
રક્ષાબંધનમાં રાખડી સાથે દેવતાઓની આરતી પણ કરવામાં આવે છે. આ માટે તમારે દીવાની જરૂર હોય છે. પૂજાની થાળીમાં તમે ઘીનો દીવો અવશ્ય બનાવીને રાખો. ભાઈને રાખડી બાંધ્યા પછી આ જ દીવાથી આરતી કરો.
મીઠાઈ કે ઘેવર
કોઈપણ પૂજામાં ભોગ લગાવવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જ્યારે તમે દેવતાઓને રાખડી બાંધી રહ્યા છો, તો તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાખડી બાંધ્યા પછી મીઠાઈનો ભોગ ચોક્કસ લગાવો. તમે મીઠાઈની જગ્યાએ ઘેવર પણ રાખી શકો છો.
તાજા ફૂલ
રક્ષાબંધન પર દેવતાઓની પૂજા સાથે તેમને તેમની પસંદના ફૂલ પણ અર્પિત કરવા જોઈએ. એવું કરવાથી તમને ઈશ્વરની વિશેષ કૃપા મળે છે.
મૌલી કે કલાવા
એવું માનવામાં આવે છે કે ભાઈને રાખડી સાથે કલાવા પણ બાંધવો જોઈએ. જ્યારે તમે ભાઈના કાંડા પર રાખડી અને કલાવા બંને બાંધો છો, તો આ બેવડી સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે.
નાળિયેર
રક્ષાબંધનના દિવસે પૂજાની થાળીમાં નાળિયેર જરૂર રાખવું જોઈએ. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે, જે ભાઈની સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કોઈપણ શુભ કામમાં નાળિયેરને સામેલ કરવાની પ્રથા સદીઓથી ચાલી આવી રહી છે.
જળથી ભરેલો કળશ
પૂજાની થાળીમાં જળથી ભરેલો એક કળશ પણ રાખવો જરૂરી હોય છે અને જ્યારે તમે ભગવાનને રાખડી બાંધો તો જળથી આચમન જરૂર કરો અને ભાઈને રાખડી બાંધતી વખતે પણ જળ છાંટો.
દૂર્વા
પૂજાની થાળીમાં દૂર્વાને જરૂર સામેલ કરવી જોઈએ. માન્યતા પ્રમાણે દૂર્વામાં અમૃતનો વાસ હોય છે. એવામાં દૂર્વાને અક્ષત સાથે માથા પર રાખવી જોઈએ. એવું કરવાથી ભાઈને દીર્ઘાયુના આશીર્વાદ મળે છે.

