Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Want to recognize the three chariots from a distance amidst the crowd of lakhs in the Rath Yatra? So note these 3 things!

VIDEO: લાખોની મેદનીમાં કયા રથમાં છે તમારા નાથ? રંગ અને પૈડાં પરથી મિનિટોમાં ઓળખો પ્રભુ જગન્નાથ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે એટલ કે 16 જુલાઈ, ગુરુવારથી રથયાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ભ્રમણ પર નીકળે છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન માટે ૩ વિશાળ રથ બનાવવામાં આવે છે, જેના પર સવાર થઈને તેઓ ગુંડિચા મંદિર સુધી જાય છે અને પછી ત્યાંથી પાછા પોતાના મંદિરે આવે છે. આ ઉત્સવમાં સામેલ થવા માટે દેશ અને દુનિયામાંથી જગન્નાથજીના ભક્તો આવે છે. જાડા-જાડા દોરડા વડે આ રથોને ખેંચવામાં આવે છે. આ ભગવત સેવામાં આવીને લોકો પોતાને ધન્ય માને છે. જગન્નાથજીની કૃપાથી તેમનું જીવન સફળ થાય છે. લાખોની ભીડમાં ત્રણેય રથ દૂરથી જ દેખાઈ આવે છે. પરંતુ કયા રથમાં જગન્નાથજી છે અને કયા રથમાં તેમના ભાઈ-બહેન, તે દરેક વ્યક્તિ જાણી શકતી નથી. આ માટે રથો પર વિશેષ સંકેતો હોય છે, જે આ સંકેતોને જાણે છે તે જ સમજી શકે છે કે જગન્નાથજી કયા રથમાં છે.

App Store

ભગવાન જગન્નાથનો રથ લાલ અને પીળા રંગનો હોય છે, જેના પર 'ત્રિલોક્યમોહિની' ધ્વજ લહેરાય છે. આ રથ પર હનુમાનજીનું પ્રતીક ચિહ્ન હોય છે. આ રથમાં 16 પૈડાં લાગેલાં હોય છે અને તે ત્રણેય રથોમાં સૌથી મોટો હોય છે. તેનું નામ 'નંદીઘોષ' છે. તેને ગરુડધ્વજ પણ કહેવામાં આવે છે. આ વિશાળ રથ પર સવાર થઈને ભગવાન જગન્નાથ પોતાના માસીના ઘરે ગુંડિચા મંદિર જાય છે. લાલ અને પીળા રંગના રથને દૂરથી જ જોઈને તમે જાણી શકો છો કે આમાં ભગવાન જગન્નાથજી સવાર છે.

ભાઈ બલભદ્રનો રથ 'તાલધ્વજ'

ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્રજીનો રથ લાલ અને લીલા રંગનો હોય છે. આ જગન્નાથજીના રથ કરતાં થોડો નાનો હોય છે અને તેમાં ૧૪ પૈડાં લાગેલાં હોય છે. તેને 'તાલધ્વજ' કહેવામાં આવે છે. આ રથ પર 'ઉનાની' ધ્વજ લાગેલો હોય છે, જેના પર તાડના ઝાડનું પ્રતીક ચિહ્ન હોય છે.

બહેન સુભદ્રાનો રથ 'દર્પદલન'

આ રથયાત્રામાં જગન્નાથજીની બહેન સુભદ્રાનો રથ ત્રણેયમાં સૌથી નાનો હોય છે. આ રથ લાલ અને કાળા રંગનો હોય છે, જેમાં 12 પૈડાં લાગેલાં હોય છે. તેમના રથનું નામ 'દર્પદલન' છે. આના પર 'નદંબિકા' ધ્વજ લહેરાય છે, જેના પર કમળનું પ્રતીક ચિહ્ન હોય છે.

હવે તમે જગન્નાથ રથયાત્રામાં સામેલ થનારા ત્રણેય રથોને તેમના રંગના આધારે દૂરથી જ ઓળખી શકો છો. જો તમે જગન્નાથ રથયાત્રામાં સામેલ થાઓ અને જગન્નાથજીના રથ સુધી ન પણ પહોંચી શકો, તો દૂરથી જ તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવી શકો છો.

ક્યારથી ક્યાં સુધી ચાલશે રથયાત્રા?

16 જુલાઈ: રથયાત્રા શરૂ થશે. ત્રણેય રથોને ખેંચીને ગુંડિચા મંદિર લઈ જવામાં આવશે.

24 જુલાઈ (શુક્રવાર): 'બહુડા યાત્રા' એટલે કે ઉલટી રથયાત્રા પ્રારંભ થશે. જેમાં ત્રણેય રથોને ખેંચીને પરત જગન્નાથ મંદિર લાવવામાં આવશે.

27 જુલાઈ (સોમવાર): 'નીલાદ્રી બીજે' ધાર્મિક વિધિ સાથે રથયાત્રાનું સમાપન થશે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.