આવતીકાલથી શિવભક્તિનો મહિમા ‘શ્રાવણ’ શરૂ: રક્ષાબંધન, જન્માષ્ટમી અને અન્ય ધાર્મિક ઉત્સવો ક્યારે આવશે? જુઓ સંપૂર્ણ યાદી

સોર્સ : gstv
હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા અને શ્રદ્ધાળુઓ માટે અનેક ઉપવાસ અને ઉત્સવો લઈને આવતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે આવતીકાલ 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહી છે. ભોલેનાથની આરાધનાના આ મહિનામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઈને પૂજા-અર્ચના કરશે અને વિવિધ તહેવારોની ઉજવણી કરશે.
શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારો અને તેની તારીખો પર એક નજર
-
13 ઓગસ્ટ (ગુરુવાર): શ્રાવણ માસનો પ્રારંભ
-
23 ઓગસ્ટ (રવિવાર): પુત્રદા એકાદશી
-
24 ઓગસ્ટ (સોમવાર): પવિત્રા બારસ
-
25 ઓગસ્ટ (મંગળવાર): ભૌમ પ્રદોષ
-
28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષા બંધન (નોંધ: આ દિવસે વિષ્ટિ બાધ્ય નથી અને ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં)
-
31 ઓગસ્ટ (સોમવાર): ફૂળકાજળી ત્રીજ (સવારે 8:52 સુધી) અને બોળ ચોથ / સંકટ ચતુર્થી (રાત્રે 8:53 થી, અમદાવાદમાં ચન્દ્રોદય રાત્રે 20:51 વાગ્યે)
-
1 સપ્ટેમ્બર (મંગળવાર): નાગ પાંચમ
-
2 સપ્ટેમ્બર (બુધવાર): રાંધણ છઠ
-
3 સપ્ટેમ્બર (ગુરુવાર): શીતળા સાતમ
-
4 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
-
5 સપ્ટેમ્બર (રવિવાર): પારણા અને નંદ મહોત્સવ
-
7 સપ્ટેમ્બર (સોમવાર): અજા એકાદશી
-
8 સપ્ટેમ્બર (મંગળવાર): ભૌમ પ્રદોષ (બપોરે 14:45 થી)
-
11 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રાવણ માસ અમાસ
આ આખો મહિનો શિવભક્તો માટે હર્ષોલ્લાસ અને અનેક ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.

