Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Saturn's Bad View on the Moon: These 3 Zodiac Signs Will Break the Mountain of Problems

ચંદ્ર પર શનિની ખરાબ નજર: આ 3 રાશિઓ પર તૂટી પડશે સમસ્યાઓનો પહાડ

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ચંદ્ર પર શનિની ખરાબ નજર: આ 3 રાશિઓ પર તૂટી પડશે સમસ્યાઓનો પહાડ
સોર્સ : gstv

જ્યોતિષીય ગણતરી મુજબ, 18 સપ્ટેમ્બર 2026ની રાત્રે ચંદ્ર પોતાની રાશિ બદલીને ધન રાશિમાં ગોચર કર્યો છે. આ સંક્રમણ દરમિયાન ચંદ્ર પર ન્યાયના દેવતા શનિદેવની વિશેષ દસમી દ્રષ્ટિ પડશે. ચંદ્ર મન અને લાગણીઓના કારક છે, જ્યારે શનિ કર્મફળદાતા અને શિસ્તના પ્રતીક છે. બંને ગ્રહોના આ અશુભ દ્રષ્ટિ સંબંધને લીધે તમામ રાશિઓ પ્રભાવિત થશે, પરંતુ ત્રણ ચોક્કસ રાશિઓએ નાણાકીય બાબતો, કરિયર અને સ્વાસ્થ્ય મોરચે વિશેષ સતર્કતા રાખવી પડશે.

App Store

મિથુન રાશિ

ચંદ્રના ગોચર અને શનિની દ્રષ્ટિના પ્રભાવથી મિથુન રાશિના જાતકોને માનસિક ઉથલપાથલ અને અશાંતિનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્ર કે ઓફિસમાં કોઈપણ મોટો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું. કોઈની સાથે વિવાદ કે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થાય તો શાંતિ જાળવવી અને વાણી પર સંયમ રાખવો, તેમજ વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થવાની સાથે ધારેલા કાર્યો સમયસર પૂરા ન થવાથી મન વ્યથિત રહી શકે છે. આર્થિક લેવડ-દેવડ કરતી વખતે સંપૂર્ણ સાવધાની રાખવી અને થાક કે પેટને લગતી સમસ્યાઓ ન થાય તે માટે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ પરિવાર અને કારકિર્દીના મોરચે વધારે સતર્ક રહેવું પડશે, કારણ કે સહકર્મીઓ સાથે વૈચારિક મતભેદો કે કામકાજમાં અણધારી અડચણો આવી શકે છે. માનસિક તણાવથી બચવા માટે યોગ-ધ્યાનનો સહારો લેવો તેમજ કોઈપણ પ્રકારના રોકાણ પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી અને કાગળિયાં બરાબર તપાસી લેવા.

બચાવ અને રાહત માટેના સરળ ઉપાયો

માનસિક શાંતિ માટે ભગવાન શિવને જળ અર્પિત કરીને "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો ઉત્તમ રહેશે. શનિવારના દિવસે શનિ મંત્રોનો જાપ કરવો અથવા જરૂરિયાતમંદોને કાળા તલ અને અનાજનું દાન કરવું જોઈએ. આ ગોચર અલ્પ સમય માટે હોવાથી કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગભરાટ વગર ધીરજપૂર્વક નિર્ણયો લેવા સલાહભર્યું છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.
 

ટોપિક્સ:GSTV NewsGujarati News